





મુંબઈ – દેશના અગ્રણી પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં ડિસેમ્બર 2019માં પ્લેટફોર્મ પર 49.60 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2019માં 46.70 લાખ ટ્રાન્ઝેક્શન અને નવેમ્બર, 2019માં રૂ.13,721 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 3.92 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
પ્લેટફોર્મ પર ડિસેમ્બર મહિનામાં 2.45 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 34.01 લાખની થઈ છે, જેઓ રૂ.952.45 કરોડનું કોર્પસ ધરાવે છે.
બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1634.37 કરોડના 1.72 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,00થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.
નવી દિલ્હી – આજથી નવું – 2020નું વર્ષ શરૂ થયું છે, નવો દાયકો શરૂ થયો છે એની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આજે પહેલા જ દિવસે બે આંચકા આપ્યા છે. બિન-ઉપનગરીય ટ્રેન પ્રવાસી ભાડામાં વધારો કર્યો છે અને સબ્સિડી-વગરના ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ 19 રૂપિયાનો વધારો કર્યો છે.
આમ આજથી ટ્રેન સફર મોંઘી થઈ ગઈ છે અને રાંધવાનું પણ મોંઘું થઈ ગયું છે.
કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી)ના સિલિન્ડરમાં રૂ. 19નો વધારો જાહેર કર્યો છે.
આ સતત પાંચમા મહિનામાં લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.
મુંબઈમાં સબ્સિડી વગરના 14.5 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂ. 684.50 થઈ છે જ્યારે અમદાવાદમાં આ જ સિલિન્ડરની કિંમત હવે રૂ. 688 થઈ છે, ગાંધીનગરમાં રૂ. 718 છે, નર્મદામાં રૂ. 840 છે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે ભારતમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધે છે.
ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દરના આધારે ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સરકાર સંચાલિત ફ્યુઅલ રીટેલ કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.
ટ્રેન પ્રવાસી ભાડામાં પાંચ વર્ષમાં પહેલી વાર વધારો કરાયો
રેલવે વહીવટીતંત્રએ ટ્રેનપ્રવાસ માટેના ભાડામાં આજથી લાગુ થાય એ રીતે જે વધારો કર્યો એ મામુલી છે. 1 જાન્યુઆરી, 2020ના દિવસે કે ત્યારપછી જે ટ્રેન ટિકિટ ખરીદવામાં આવશે એની પર નવો વધારો લાગુ થશે. આ તારીખ પહેલાં જેમણે ટિકિટ ખરીદી હશે એમની પાસેથી ઉપરની કોઈ રકમ વસુલ કરવામાં નહીં આવે.
સામાન્ય નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ચૂકવવાનો આવશે.
મેલ/એક્સપ્રેસ નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ બે પૈસા વધારે ચૂકવવા પડશે.
એસી વર્ગોમાં ભાડું પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 4 પૈસા વધારવામાં આવ્યું છે.
ઉપનગરીય ટ્રેન પ્રવાસ કે માસિક (સીઝન) પાસના ભાડાની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ભારતીય રેલવે પર આ લોકોનો વર્ગ 66 ટકા જેટલો છે. તેથી એમની પર આર્થિક બોજો ન પડે એનું તંત્રએ ધ્યાન રાખ્યું છે.
ભારતીય રેલવે છેલ્લા અનેક વર્ષોથી આધુનિકીકરણ અપનાવી રહી છે અને પ્રવાસીઓને સફરનો અનુભવ સુગમતાભર્યો અને આનંદપૂર્વકનો બની રહે એ માટે ટ્રેનોમાં તથા સ્ટેશનો પર વિવિધ પ્રકારની સુવિધાઓમાં સુધારા પણ કરતી રહી છે.
રેલવેએ છેલ્લે 2014-15ની સાલમાં પ્રવાસી ભાડામાં વધારો કર્યો હતો. પ્રવાસી સુવિધાઓ અને સગવડતાઓ વધારવામાં આવી રહી હોવાથી ભાડાની રકમમાં મામુલી વધારો કરવાનું તંત્ર માટે અનિવાર્ય બન્યું હતું. તે છતાં કોઈ પણ વર્ગનાં પ્રવાસીઓ પર વધારે પડતો બોજો ન આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.
રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે માટેના ચાર્જિસમાં કોઈ વધારો કરાયો નથી. આ ચાર્જિસ જ્યાં જરૂર હશે ત્યાં અતિરિક્ત રીતે વસુલ કરવાનું ચાલુ રહેશે.
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
મુંબઈ – રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, રેડિંગટન (ઈન્ડિયા), આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પ્રાઈમરી ડિલરશીપ, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ, હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ, સીયેટ અને આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપનીએ તેમનાં કમર્શિયલ પેપરના રૂ.29,650 કરોડ, રૂ.3,350 કરડ, રૂ.950 કરોડ, રૂ.700 કરોડ, રૂ.600 કરોડ, રૂ.235 કરોડ, રૂ.50 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 1 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 50 ઈશ્યુઅરોના રૂ.1,05,795 કરોડના કમર્શિયલ પેપર્સના 258 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 138 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.09 ટકા રહ્યું છે.
નવી દિલ્હી – ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બિપીન રાવતે આજથી દેશના સંરક્ષણની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. જનરલ બિપીન રાવત આજથી દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બની ગયા છે. રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે એમને સેનાની ત્રણેય પાંખ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને CDS જનરલ રાવતે એ સમ્માનનું અભિવાદન કર્યું હતું.
બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યું કે, CDS સેનાની ત્રણેય પાંખ પર નિયંત્રણ રાખશે, ત્રણેય પાંખ સાથે એ નિષ્પક્ષ રહેશે. અમે ત્રણેય સેનાને જોડીને ત્રણ નહીં, પણ પાંચ કે સાત બનાવીશું. CDSને આ કામગીરી સોંપવામાં આવી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું અને ત્રણેય સેના સાથે મળીને કામગીરી બજાવે એનું ધ્યાન રાખીશું.
જનરલ રાવતે એમ પણ કહ્યું કે, આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપીશું. સંરક્ષણ તાલીમને કઈ રીતે આગળ વધારી શકાય છે તે અમે જોઈશું. આગળ જે કામગીરી મળશે એને અમે સક્ષમ રીતે બજાવીશું.
સીડીએસ 4-સ્ટાર જનરલ હશે અને તેઓ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવનાર એક નવા વિભાગના સચિવ તરીકે કામ કરશે, એ વિભાગનું નામ રાખવામાં આવ્યું છે – ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ. આ ઉપરાંત CDS કેન્દ્ર સરકારને સૈન્યની બાબતો અંગે સલાહ આપશે.
સરકારે સ્પષ્ટતા કરી જ દીધી છે કે સીડીએસ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળને સીધી રીતે કન્ટ્રોલ નહીં કરે, પરંતુ એમને અંતર્ગત સેનાની ત્રણેય પાંખના સંયુક્ત કમાન્ડ અને ડિવિઝન રહેશે.
સીડીએસ સંરક્ષણને લગતા મુદ્દાઓ પર સંરક્ષણ પ્રધાન સાથે સીધા સંપર્કમાં રહેશે અને પોતાનાં મંતવ્યો આપશે. ટૂંકમાં, સીડીએસ સંરક્ષણ પ્રધાનના સૈન્ય સલાહકાર તરીકે ફરજ બજાવશે. સંરક્ષણ પ્રધાને ત્રણેય સેનાના વડાઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવાને બદલે હવેથી સીડીએસ સાથે જ વાતચીત કરશે. ત્રણેય સેનાનો સંપૂર્ણ ટ્રાઈ સર્વિસ કમાન્ડ સીડીએસને આધીન રહેશે.
ઉલ્લેખનીય છે કે, કારગીલ યુદ્ધ બાદ કારગીલ રિવ્યૂ કમિટી તથા નરેશ ચંદ્ર કમિટીએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી અને એના આધારે જ નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ સીડીએસની નિમણૂક કરી છે.
જનરલ રાવતે કહ્યું કે, સીડીએ સેનાની ત્રણેય પાંખ સાથે સરસ તાલમેલ રાખશે. સાથોસાથ, સંરક્ષણ પાછળ ખોટો ખર્ચ ન થાય અને બજેટમાં ફાળવાયેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ થાય એની પર દેખરેખ રાખશે. ત્રણેય સેનાનાં અધિકારીઓની ટ્રેનિંગ સ્કૂલ એટલે કે નેશનલ ડીફેન્સ એકેડેમી સીડીએસના નિયંત્રણમાં રહેશે.
આ ઉપરાંત આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસ, એન્જિનિયરિંગ સર્વિસ અને નેશનલ ડીફેન્સ કોલેજ પણ સીડીએસના કમાન્ડ હેઠળ રહેશે.
જનરલ રાવતે વધુમાં કહ્યું કે, સીડીએસને મુખ્ય જવાબદારી દેશ માટે ભાવિ રણનીતિ ઘડવાની આપવામાં આવી છે.
સીડીએસના રાજકીય ઝોક વિશેના સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે અમે રાજકારણથી ઘણા દૂર રહીએ છીએ. અમારે સામાન્ય રીતે શાસક પક્ષના આદેશો અનુસાર કામ કરવાનું રહેતું હોય છે.
સીડીએસ બન્યા બાદ જનરલ રાવતનો ગણવેશ બદલાઈ ગયો છે. એમના ગણવેશનો રંગ ઓલિવ ગ્રીન (જૈતૂન લીલો) રહેશે. આ ગણવેશમાં સેનાની ત્રણેય પાંખના ગણવેશના તમામ ઘટક રહેશે.
બાબા રામદાસનું અમેરિકામાં 88 વર્ષે અવસાન થયું. તેઓ શાંતિપૂર્વક અંતિમયાત્રાએ નીકળ્યા એવું તેમના ભક્તોએ જણાવ્યું, પણ તેમની જીવનયાત્રા જિંદગીભર શાંતિની શોધમાં ઘટનામય રહી હતી. કેફી દ્વવ્યોનો નશો કરીને શું થાય છે અને અચેતન મન તમને કેવા અનુભવો કરાવે છે તેના પ્રયોગો તેમણે અમેરિકામાં કર્યા તેના કારણે વિવાદો પણ થયા હતા. પણ પછી તેમણે ખબર મળ્યા કે ભારતમાં સાધુઓ ધ્યાન લગાવીને, વગર કેફી દ્વવ્યોએ અચેતન મન અને અગાધ અને અગોચ વિશ્વનો અનુભવ કરી શકે છે. તેથી તેઓ ભારત આવ્યા હતા અને અહીં અંગ્રેજીમાં જેને hallucination (હાલૂસિનેશન) કહે છે કે તેવી ભ્રમણા કે કલ્પનાવિહારની સ્થિતિને સમજવા માટે યોગ અને ધ્યાનનો પ્રયોગો શીખ્યા હતા.
આટલા પરથી તમને અંદાજ કદાચ આવ્યો પણ હશે કે કોઈ મૂળ અંગ્રેજ અથવા ગોરો માણસ હશે અને ભારતમાં આવીને ભગવા પહેરીને બાબા બન્યા હશે. વાત સાચી છે, ભારતની અને પૂર્વની સંસ્કૃતિના પ્રેમમાં પડીને ઘણા ગોરા લોકો ભારત આવે, ભગવા પહેરે, ભક્તિ કરે, યોગ કરે, ધ્યાન કરે અને ભારતીય નામ ધારણ કરીને પશ્ચિમમાં તેનો પ્રચાર કરે. ભારતમાં કોઈને ગુરુ ધારે અને ગુરુનો મહિમા પણ પશ્ચિમના જગતમાં કરે ત્યારે ભારતીયો બહુ ખુશ થતા હોય છે. તેઓ ગહન ધ્યાન વિશે અને અધ્યાત્મિક અનુભવ વિશે, માયા અને મોહ વિશે વાતો અંગ્રેજીમાં જણાવે એટલે કે કેટલાકને વધારે આકર્ષક લાગે. તેઓ માયાની કલ્પના ભારતીય માનસમાં છે તેને કેટલી હદે સમજ્યા હશે તે કહેવું મુશ્કેલ હોય છે, પણ ભક્તોને તેમનું ભારે આકર્ષણ હોય છે.
તેથી જ બાબા રામ દાસ પણ આવા કેટલાક ગોરા ગુરુઓની જેમ અમેરિકામાં ઘણા લોકપ્રિય બન્યા હતા. તેઓ ભારત આવીને નીમ કરોલ બાબાના શિષ્ય બન્યા હતા. રામ દાસનું અસલી નામ રિચર્ડ આલ્પર્ટ હતું. તેમના પિતા બોસ્ટનના જાણીતા વકીલ હતા. હાર્વર્ડમાંથી તેઓ સાયકોલૉજીનું ભણ્યા હતા અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું હતું. 1960ના દાયકામાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું હતું અને તેઓ કાઉન્ટર-કલ્ચર એટલે કે મુખ્ય ધારાના પ્રવાહોથી અલગ કલાની દુનિયામાં રાચતા, મોટા ભાગના નશેડી કલાકારોના કલ્ચર તરફ આકર્ષાયા હતા. ટિમોથી લીયરી અને એલેન ગિન્સબર્ગ તેમના સાથીઓ બન્યા હતા. માત્ર નશીલા પદાર્થો લેવાના બદલે આ લોકો તેમના અભ્યાસમાં અને માનવમનના ઊંડાણમાં, અચેતન મનમાં તેની શું અસર થાય છે તેનો અભ્યાસ પણ કરતા થયા હતા. એલએસડી સહિતના કેફીદ્વવ્યોનો જાત અનુભવ કર્યા પછી જેલમાં કેદીઓને, જીવલેણ બીમારી પિડાતા લોકોને કે માનસિક રીતે વિક્ષિપ્ત લોકોને નિયંત્રિત અવસ્થામાં કેફીદ્વવ્યો આપવા જોઈએ તે પ્રકારની તેમની મૂવમેન્ટ ચાલતી થઈ હતી. નશો માણસને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે અને એક જુદી જ દુનિયાનો અનુભવ કરાવે છે અને તેનાથી વિક્ષિપ્ત લોકોને, પરેશાન લોકોને રાહત મળે છે તે પ્રકારના પ્રયોગો અને અનુભવ તેઓ અને તેમના સાથીઓ કરતા રહ્યા હતા.
હાર્વર્ડમાં ભણતા હતા ત્યારે આલ્પર્ટ અને લીયરીએ હાલૂસિનોજિક મશરૂમ અને એલએસડીના પ્રયોગો ત્યાંના કેટલાક સાથી વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ પર કર્યા હતા. માણસ નશામાં ઊંડો ઉતરી જાય ત્યારે શું થાય તે જાણવામાં તેમને રસ પડતો હતો. સાઇલોસ્બિન તરીકે ઓળખાતા પદાર્થો જેમાંથી મળે છે તે મશરૂમને જાદુઈ મશરૂમ તરીકે પણ ઓળખાવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અમુક ભાગમાં આવા મશરૂમ થાય છે. તેના કારણે ગાંજા, કાલા કે અફિણ જેવો નશો ચડી જાય છે. કેટલાક દેશોમાં તેનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે.
જોકે હાર્વર્ડ યુનિવર્સિટીના સત્તાવાળાઓને ખ્યાલ આવ્યો કે પછી આલ્પર્ટ અને લીયરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. જાદુઈ મશરૂમનો નશો કર્યા પછી પોતે ગહન તંદ્રમાં ઉતરી ગયા હતા. ચારે બાજુ આછો ઉજાસ દેખાતો હતો અને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. હાર્વર્ડનો હું પ્રોફેસર, પણ મારો એક હિસ્સો મારાથી જુદો થઈ ગયો હોય એમ મને લાગ્યું હતું એવું બધું તેમણે લખ્યું હતું.

હાર્વર્ડમાંથી કાઢી મૂક્યા પછી તે અને લીયરી ન્યૂ યોર્કમાં રહેવા ગયા હતા અને ત્યાં ધીમે ધીમે તેમના જેવા આપણી ભાષામાં કહીએ તો ગંજેર કલાકારોના ઝૂંડ એકઠા થતા રહ્યા હતા. ગિન્સબર્ગ, વિવિયમ બરો અને જેક કેરાઉક જેવા આપણા માટે અજાણ્યા, પણ ત્યાંના જાણીતા કલાકારો તેમની સાથે જોડાયા હતા.
એ દાયકો જ અમેરિકામાં નશામાં ઝૂમતા યુવાનોનો હતો. આપણા ઉડતા પંજાબ જેમ ઉડતા અમેરિકા જેવી હાલત હતી. એલએસડી અને મેરિયુઆના (ગાંજા)નો નશો યુવાનોમાં વ્યાપક બન્યો હતો. જોકે બીજા યુવાનોથી આલ્પર્ટ આખરે એ રીતે જુદા પડ્યા કે નશો કર્યા વિના નશામાં રહેવા માટે તેમણે ભારત તરફ નજર દોડાવી. ગિન્સબર્ગની સલાહને કારણે તેઓ 1967માં ભારત આવ્યા હતા અને નીમ કરોલી બાબાના આશ્રમમાં રોકાયા હતા.
આશ્રમમાં તેમણે યોગ, ધ્યાન, વિપશ્યના, સુફીઝમ સહિતની ભારતની અને પૂર્વની અધ્યાત્મ અને સમાધીની અવસ્થાની પરંપરાનો અભ્યાસ કર્યો. તેમને એમાં એટલી મજા પડી ગઈ કે તેમણે બાબાના શિષ્ય બનવાનું નક્કી કર્યું અને પોતાનું નવું નામ રામ દાસ સ્વીકાર્યું. ભારતના અનુભવો પછી તેઓ અમેરિકા પરત ફર્યા અને બી હીયર નાઉ નામનું પુસ્તક લખ્યું. તેઓ હવે લેખક તરીકે અને ભારતીય પરંપરાના ધ્યાનથી સ્વની ઓળખ, સ્વની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક તરીકે પણ જાણીતા થવાના હતા.

અમેરિકા પાછા ફર્યા પછી તેમણે સાથીઓને જણાવ્યું કે યોગ અને ધ્યાનની પદ્ધતિથી નશો કર્યા વિના પણ મનના ઊંડાણમાં ઉતરી શકાય છે. ભારતમાં રહીને તેમણે જોયું હશે કે ભારતના સાધુઓ પણ ગાંજાની ચલમો ફૂંક્યા કરતા હોય છે અને અહીં તો ભાંગ પ્રસાદમાં ભક્તો પણ ગટગટાવી જતા હોય છે. પણ તેમણે અમેરિકામાં જ નશો કર્યો હતો તેની સામે આ કંઈ નહોતું. 1974માં તેમણે હનુમાન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને ભારતમાં પોતાને યોગ અને ધ્યાનના અનુભવો થયા હતા તેનો ઉપયોગ કરીને વગર ડ્રગ્સથી કઈ રીતે ચિત્તને શાંત કરી શકાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અગાઉ યુવાનીમાં તેઓ કેદીઓને ગાંજાનો નશો કરાવીને હળવાશ અનુભવે કે કેમ તેના પ્રયોગો વિચારતા હતા, પણ હવે તેમને વધારે સારો વિકલ્પ મળ્યો હતો. તેથી તેમણે પ્રિઝન આશ્રમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં જેલમાં જઈને ધ્યાન અને અધ્યાત્મના માર્ગે કેદીઓને વાળવાના.
તેમના પ્રયાસોને સફળતા પણ મળવા લાગી હતી અને તેમના ઘણા અનુયાયીઓ પણ થવા લાગ્યા હતા. તેમણે આગળ જતા અંધાપા નિવારણ માટે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરીને બીજા સેવા કાર્યો પણ કર્યા હતા. સાથે જ પોતાના ગુરુ નીમ કરોલી બાબાના સંદેશના પ્રસાર અને પ્રચાર માટે તેમણે લવ સર્વ રિમેમ્બર (પ્રેમ સેવા સ્મરણ) ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. પૂર્વ અને પશ્ચિમનો મિલાપ થાય તે માટે તેઓ પ્રયાસો કરતા રહ્યા હતા. ભારતના અનુભવો પછી તેઓ પ્રકૃત્તિનું મહત્ત્વ સમજ્યા હતા અને તેથી શહેર છોડીને તેઓ કેલિફોર્નિયાના સેન એન્સેમ્લો જેવા નાના ગામમાં રહેવા જતા રહ્યા હતા. બૌદ્ધ પરંપરા અને તેની ધ્યાન પદ્ધતિઓ પણ તેમને એટલો જ રસ પડ્યો હતો.
તેમણે એકથી વધુ પુસ્તકો લખ્યા હતા અને ધ્યાન અને અધ્યાત્મના પોતાના અનુભવો તેઓ વર્ણવતા રહ્યા હતા. 1997માં તેમને લકવો થયો તે પછી તેમણે શારીરિક પીડાને અધ્યાત્મના અનુભવ સાથે જોડવાની કોશિશ કરી હતી. શારીરિક પીડા ઘણીવાર તમને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે એવું તેઓ માનતા હતા. બીમારી અને વૃદ્ધાવસ્થામાં પીડાનો સામનો કેવી રીતે અધ્યાત્મ અને ધ્યાનના માર્ગે થઈ શકે તે પ્રકારનો સંદેશ ફેલાવવા તેઓ કોશિશ કરતા રહ્યા હતા.
એક સંસ્કૃતિનો માણસ બીજી સંસ્કૃતિના પરિચયમાં આવે અને પ્રભાવિત થાય ત્યારે આવા કિસ્સા સર્જાતા હોય છે. ભારત અનોખો અને અજબગજબનો દેશ છે એમ માનીને ઘણા ભારત આવે છે અને બાબાઓ પાસે ધ્યાનના પ્રયોગો કરતા રહે છે. તેમાંથી સ્ટીવી જૉબ્સ જેવા ઘણા વળી પાછા કર્મના માર્ગે પણ ચડી જાય છે. તેઓ જાણતા હોય છે કે સમાધી લગાવીને બેસી જવાથી કંઈ હાંસલ થતું નથી. કર્મ કર્યા સિવાય છૂટકો નથી, પણ ધ્યાનથી ડહોળાયેલું મન શાંત થાય છે અને તમારા કર્મના માર્ગ તમને ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરે છે એવું જ્ઞાન ઘણા પીરસતા હોય છે. આ બધુ અગમનિગમ છે, સૌએ પોતપોતાની રીતે સમજવું, પણ બાબા રામ દાસ જેવા કિસ્સાને કારણે એટલું સમજવા મળે કે દુનિયાની જુદી જુદી પરંપરાઓને સમજવી જોઈએ અને તેમાંથી કંઈ શુભ પ્રાપ્ત થતું હોય તો સ્વીકારવામાં કંઈ ખોટું નથી.
નવી દિલ્હી: 2019 ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્વનું વર્ષ રહ્યું. ઘરઆંગણે આપણે સળંગ ચાર મેચમાં એક ઈનિંગથી વિજય હાંસલ કર્યા. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝ જીતનારો ભારત પહેલો એશિયાઈ દેશ બન્યો. ભારત આ વર્ષે એક પણ ટેસ્ટ હાર્યું નથી ને જીતની એવરેજ 87.5 રહી. હવે ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મજબૂતીથી ટોચ પર છે. આ વર્ષે ભારતની બધી ફોરમેટમાં જીતની એવરેજ 60.82 હતી. 462માંથી આપણે 281 મેચ જીત્યા.

આ સફળતાનો શ્રેય ફાસ્ટ બોલરોને જાય છે. એવું નથી કે આ સફળતા પાછળ કોઈ મોટા ફેરફાર જવાબદાર છે, પણ એક જસપ્રીત બુમરાહની હાજરીથી આખું ચિત્ર બદલાઈ ગયું છે. છેલ્લાં બે વર્ષમાં આ ફાસ્ટ બોલરે ભારતીય ટીમનું રૂપ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

જાન્યુઆરી 2018માં બુમરાહે ડેબ્યુ કર્યો એ પછી ભારતીય પેસરોએ 22 ટેસ્ટમાં 20.74ની એવરેજથી 274 વિકેટો લીધી અને એક ઈનિંગમાં સૌથી વધારેવાર પાંચ વિકેટો પણ ભારતીય પેસરોએ લીધી છે. બુમરાહની ડેબ્યુ વખતેની સ્ટ્રાઈક રેટ 30.4 અને ઈકોનોમી 2.59 સૌથી શ્રેષ્ઠ હતી. એણે 42 ટી-ટ્વેન્ટી મેચમાં 51 વિકેટો ઝડપી છે જે સૌથી હાઈએસ્ટ છે. વનડેમાં એની 21.88ની એવરેજ અને 4.49ની ઈકોનોમી પણ સૌથી શ્રેષ્ઠ છે.

મોહમ્મદ શમીએ પણ 2019માં ભારતીય ટીમમાં મહત્વનો રોલ ભજવ્યો છે. એ બે ફોરમેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ એણે હેટ્રિક પણ લીધી હતી. 37 ટેસ્ટમાં એણે 137 વિકેટો લીધી છે. 46.2ની એની સ્ટ્રાઈક રેટ છે. વિદેશોમાં એણે 25.87ની સ્ટ્રાઈક રેટથી 86 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈશાંત શર્માએ પણ આ વર્ષે એની બોલિંગ પર ઘણું કામ કર્યું છે ને વિકેટો મેળવી છે. 2019માં ભારતમાં રમાયેલી પાંચ ટેસ્ટમાં પેસરોએ 59 વિકેટો ઝડપી હતી.
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે,
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.