ઇસ્લામાબાદઃ કોરોના વાઇરસના રોગચાળાથી પીડિત પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓ પર ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. ચાર દિવસ પહેલાં ઇમરાન સરકારે આ દવા પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તત્કાળ અસરથી લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ કોરોના વાઇરસ પર રાષ્ટ્રીય સમન્વય આયોગ (NCC)ના આગામી નિર્ણય સુધી લાગુ રહેશે.
આ પહેલાં વેપાર વિભાગે માસ્કની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન (ડ્રેપ)ને પત્ર પણ લખ્યો હતો. એક સત્તાવાર સૂત્રના જણાવ્યાનુસાર એનસીસીની બેઠકને ધ્યાનમાં રાખતા વેપાર વિભાગે બધી મેલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
ડ્રેપના રેકોર્ડ અનુસાર દવાઓનું ઉત્પાદન કરવા માટે આશરે 2.5 કરોડ ટેબ્લેટ અનમે આશરે 9,000 કિલોગ્રામ કાચો માલ બજારમાં ઉપલબ્ધ છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 72 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે આ વાઇરસથી 4,780 લોકો સંક્રમિત થયા છે.
એક તરફ પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી બાજુ ભારતે દરિયાદિલી દાખવતાં મલેરિયા સામેની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. આ દવા કોવિડ-19થી લડવામાં કારગત સાબિત થઈ રહી છે. ભારત આ દવાનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે.
અમદાવાદ: “પૂજા”આ શબ્દ સાંભળતા જ આપણા માનસપટ પર પવિત્ર વાતાવરણની છાપ અંકિત થઈ જાય છે. અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા ‘માસ્ક” બનાવીને ‘માસ” પૂજાનું એટલે કે એક મોટા વર્ગ માટે પૂજા સમાન કામ કર્યું છે.
કોવિડ -૧૯ ની બીમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. એકબીજાના સ્પર્શથી ફેલાતા આ રોગને કારણે વિશ્વ આખામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક પણ એક અત્યંત અનિવાર્ય પુરવાર થયું છે . હોસ્પિટલમાં સેવારત ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ તો માસ્કનો બહુધા ઉપયોગ કરે જ છે. જો કે ગુજરાત સરકારે પણ માસ્ક પહેરવાની પહેલ કરી જ છે. દેશના કેટલાક રાજ્યોએ તો માસ્ક પહેરવો ફરજિયાત પણ બનાવ્યું છે. આમ તો સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે અન્ય કપડાંથી મોઢાને ઢાંકીને તેને માસ્ક તરીકે ઉપયોગ કરતા જ હોય છે. વિધિસર બનાવેલો માસ્ક બજારમાં કંઈક અશે મોંઘું પડતું હોય છે પરંતુ પૂજાબેને માત્ર ૬ રૂપિયામાં એટલે કે અત્યંત નજીવા ભાવે માસ્ક બનાવ્યા છે.
પૂજાબેન કહે છે કે, ‘દરજીકામ એ મારો મૂળ વ્યવસાય છે, હું આમ તો બેગ સિવવાનુ કામ કરુ છું, પરંતુ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં માસ્ક એ લોકોની સૌથી મોટી જરૂરિયાત છે. ગરીબ માણસ માસ્ક માટે વધારે રુપિયા ના ખર્ચ કરી શકે એટલે મેં માદરપાટના કપડામાંથી મામૂલી ભાવે માસ્ક બનાવ્યા છે…
પૂજાબેને અત્યાર સુધીમાં ૨ હજાર માસ્ક બનાવીને આસપાસની દુકાનો, બેન્ક તથા વિસ્તારમાં અન્ય લોકોને આપ્યા છે. પૂજાબેન આ માસ્ક વેચવા કરતા વહેંચવામાં માને છે. જો કે વિસ્તારના લોકોએ પણ માસ્ક મફત લેવાને બદલે ખરીદવાનુ વલણ રાખ્યું કે છે જેથી પૂજાબેનને મદદરૂપ થઈ શકાય.
નવી દિલ્હી: કોરોના વિરુદ્ધની જંગમાં જ્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને ભારત તરફથી પરવાનગી મળી ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ભારોભાર વખાણ કર્યા રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા માટે વડાપ્રધાન મોદીનું મહત્વ કેટલું છે તેનો અંદાજ વ્હાઈટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. વ્હાઈટ હાઉસે પહેલી વખત વિશ્વના કોઈ નેતાના વ્યક્તિગત એકાઉન્ટને ફોલો કર્યું છે.
વ્હાઈટ હાઉસ કુલ 19 લોકોના ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે. વ્હાઈટ હાઉસ ભારતમાંથી માત્ર પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું હતું. હવે આ યાદીમાં મોદીનું ટ્વિટર એકાઉન્ટ ઉમેરાયું છે. મોદીનું ટ્વિટર હેન્ડલ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પછી બીજા નંબરે છે. ત્યાર પછી ભારતના પીએમઓ અને પ્રેસિડેન્ટનું ઓફિશિયલ એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ દ્વારા ફોલો કરનારા દુનિયાના એકમાત્ર નેતા બન્યા છે.
મહત્વનું છે કે, સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતે અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓ સહિત દુનિયાના અનેક દેશો માટે મદદનો હાથ લંબાવ્યો હતો અને જે ભારત જે દેશોની મદદમાં આવ્યું છે તેવા દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વ્હાઈટ હાઉસ દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓમાંથી ફક્ત વડાપ્રધાન મોદીને જ ફોલો કરવામાં આવ્યા છે. આ વાત જાણીને વિશ્વના ખૂણે-ખૂણે વસતા ભારતીયો આ જાણીને ગર્વ અનુભવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સપ્લાય કરવા બદલ પીએમ મોદીનો આભાર માનીને એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા આ મદદ નહી ભુલે.
નવી દિલ્હીઃ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે ભારત 20થી વધુ દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન, પેરાસિટામોલ તેમ જ એઝિથ્રોમાઇસિન જેવી આવશ્યક દવાઓનો નિકાસ કરી રહ્યું છે. ભારત દ્વારા પશ્ચિમ બાજુ અમેરિકા અને પૂર્વમાં બંગલાદેશ સુધી આ દવાઓ 20થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.
જોકે આ દવાઓ ભારત માનવતાવાદી અને વેપારી ધોરણે નિકાસ કરી રહ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
ભારતની દવાની અનેક દેશોમાં નિકાસ
ભારત આ દવાઓ યુએસ, બ્રાઝિલ, સ્પેન, જર્મની, બહેરીન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદીવ, બંગલાદેશ, મોરિશિયસ, ડોમિનિકન રિપબ્લિક, ઇઝરાયલ, કેનેડા, યુકે, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં કરી હતી.
મોદી સરકારની સાર્ક દેશોને આ દવા દાન કરવાની યોજના
મોદી સરકાર કોરોના વાઇરસને લીધે થયેલી વિષમ પરિસ્થિતિઓમાં સાર્ક દેશો, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન કરવાની યોજના બનાવી રહી છે. જોકે આ સાથે મોદી સરકાર અમોરિકા સહિત યુરોપના કેટલાક દેશોને આ દવાનું વેચાણ પણ કરશે.
જ્યારે મોદી સરકાર આ દવાઓને સાર્ક, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન આપવાની યોજના બનાવી રહી છે.
દિલ્હીઃ વિશ્વઆખું કોરોના સામે જંગે ચઢ્યું છે અને પાક હજી પણ એની નાપાક હરકતોથી બાજ નથી આવતું અને સુધરવાનું નામ નથી લેતું. જોકે ભારતે પાકિસ્તાની સેનાનો જડબાતોડ જવાબ આપ્યો છે. સરહદ પારથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું ફાયરિંગ એને જ ભારે પડી ગયું હતું. ગઈ કાલે સવારે 11 કલાકે પાકિસ્તાની સેના દ્વારા આવેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કેરન ક્ષેત્રમાં સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કમસે કમ છ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા અને 10 જખમી થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાની તોપોને પણ નુકાસન થયું હતું. આ સાથે પાકિસ્તાની સેના હથિયાર ડેપો અનમે પોસ્ટ સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવ્યા હતા.
આતંકવાદી માર્યા ગયા હોવાની શક્યતા
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈસ એ મોહમ્મદના લોન્ચ પેડ પણ ખતમ થયા હતા. આ જગ્યાએ આતંકકવાદીઓના બે ગ્રુપ હતા અને આ ગ્રુપમાં 10-10 આતંકવાદીઓ હતા. અનુમાન છે કે બંને ગ્રુપોના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. પાકિસ્તાને બપોરે 11.30 કલાકે ફાયરિંગ શરૂ કર્યું હતું અને 2.30 કલાક સુધી આ ગોળીબાર ચાલુ હતો. કેટલાક દિવસો પહેલાં કેરન સેક્ટરમાં જ સેનાએ પાંચ ઘૂસણખોરોને ઢેર કર્યા હતા. આ કાર્યવાહીમાં સેનાના પાંચ જવાન પણ શહીદ થયા હતા.
પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ
સેના પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ થઈ ગયાં છે. સેના દ્વારા એરિયલ ફુટેજથી મળ્યા છે, જેમાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે. વિશ્વઆખું કોરોના વાઇરસની બીમારી સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન એની આંતકવાદી પ્રવૃત્તિ બંધ કરવાનું નામ નથી લેતું.
સુરતઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તો મોદી સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કારીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા.જોકે, તંત્ર વધારે કડક બનતા મજૂરો જેતે જગ્યાએ રહ્યા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને આજે શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયાશ કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં હજારો ઓડિસાવાસીઓ રહે છે. મોટાભાગના લોકો લૂમ્સમાં કામ કરતા હતા. જોકે, લોકડાઉનના કારણે તેઓ બેરોજગાર થતાં સુરતમાં રહેવા માટે તકલીફ પડી રહી છે. જેના પગલે આ વિસ્તારમાં રહેલા હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધારે થતાં આ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો પણ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી હર્યા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્નો કર્યો હતો. પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.
એક તરફ કોરોનાની મહામારીએ ભારત સહિત વિશ્વભરના દેશોમાં અર્થતંત્રને ખોરવી નાખ્યું છે તો સાથે સાથે વિશ્વભરમાં, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં કામ કરવાની વ્યવસ્થા પણ ખોરવી નાખી છે. હાલ ભારત સહિત વિશ્વના દેશોની જે હાલત છે એ જોતાં વિશ્વ ક્યારે પહેલાની માફક નિયમિત થશે એ અંગે કંઈ પણ કહેવાનું મુશ્કેલ છે ત્યારે બદલાયેલી વ્યવસ્થામાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે.
પરંતુ આ બદલાવને સ્વીકારવામાં અત્યારે કંપનીઓને સૌથી વધારે કોઈ મુશ્કેલી પડી રહી હોય તો એ છે કે કઈ રીતે એના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે આ નવા વર્ક કલ્ચર માટે તૈયાર કરવા? કઇ રીતે એમની ઈમોશનલ જરૂરિયાતોને પૂરી કરવી. નવું વર્ક ફ્રોમ હોમ કલ્ચર આ બધા પડકારો પણ લઇને આવ્યું છે.
વર્ષોથી ઓફિસમાં રૂટિન કામ કરવા ટેવાયેલા લોકોને પણ એક પ્રકારની હતાશા અને તણાવના માહોલમાં ઘરેથી કામ કરતી વખતે અનેક પ્રકારની સમસ્યાઓ નડી રહી છે, ખાસ કરીને પ્રોડક્ટીવીટીને જાળવી રાખવાની.
આ સંજોગોમાં, આવા કર્મચારીઓની મદદે આવવાનું નક્કી કર્યું છે મૂળ ગુજરાતી, પણ હાલ સિંગાપુરમાં સ્થાયી થયેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા યોગ અને વેલનેસ નિષ્ણાંત સુજાતા કૌલગીએ. સુજાતાબહેન વિશ્વ આરોગ્ય સંગઠન સહિત અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એ કહે છે, મેં બેંગ્લોરથી બેંગકોક કે ઓકલેન્ડ થી એટલાન્ટા સુધી અનેક દેશોના ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો સાથે વાત કરીને એમની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન માહોલમાં કંપની કઇ રીતે એના કર્મચારીઓની પ્રોડક્ટિવિટીને જાળવી રાખીને, એમની લાગણીની જરૂરિયાતોના સમજીને કામ કરે અને એમાં યોગ અને મેડિટેશન કઈ રીતે મદદરૂપ થઇ શકે એ માટે મેં અમુક મોડ્યુલ્સ તૈયાર કર્યા છે.
આ પ્રોગ્રામ અંતર્ગત એ ઓનલાઇન સેશન્સ દ્વારા કર્મચારીઓને યોગા અને વેલનેસની તાલીમ આપશે. એમનામાં હકારાત્મકતા જળવાઇ રહે એ પ્રકારની ટીપ્સ પણ આપશે. પેનીક ટુ પીસ અથવા તો ફિયર ટુ ફ્રીડમ એવું શીર્ષક ધરાવતા આ પ્રોગ્રામમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાના કામના સ્વરૂપ અને પોતાની સમસ્યાનો ફીડબેક પણ આપી શકે છે અને એ ફીડબેક ના આધારે એને જરૂરી સોલ્યુશન મળે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વ્યક્તિગત રીતે પણ એ છેલ્લા કેટલાક સમયથી એક અઠવાડિયા માટે તૈયાર કરેલા વેલનેસ ક્લાસ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફ્રી ચલાવે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ખાસ નવી પહેલ માટે સુજાતાબહેન કહે છે, વર્તમાન સમયે કપરો છે, પણ જો આપણે બધા જ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું તો એ કપરો સમય પણ પસાર કરવો અઘરો નહીં હોય.
કોઇપણ પ્રકારની મૂંઝવણ હોય તો yogawithsujata@gmail.com પર સુજાતાબહેન તૈયાર છે તમને માર્ગદર્શન આપવા.
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એના સિચ્યુએશન રિપોર્ટમાં ભારતમાં કોરોના વાઇરસના ફેલાવાની સ્થિતિને કોમ્યુનિટી ટ્રાન્સમિશન જણાવવા બદલ સ્પષ્ટતા કરી છે. WHOએ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું છે કે આ અહેવાલમાં ભૂલ છે, જેને હવે સુધારવામાં આવી છે અને ભારતમાં ક્લસ્ટર ઓફ કેસીસ (અનેક કેસો) છે, પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું.
WHOએ અહેવાલમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન લખવાની ભૂલ કરી
વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકો કોરોના વાઇરસની ઝપટમાં આવી ચૂક્યા છે અને એક લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કોવિડ-19ના કેસોના સિલસિલામાં જારી કરવામાં આવેલા અહેવાલમાં ચીનના કોલમમાં ક્લસ્ટર ઓફ કેસીસ લખવામાં આવ્યું હતું, જ્યારે ભારતની કોલમમાં બીમારીના ફેલાવાના સ્તરે કોમ્યુનિસ્ટ ટ્રાન્સમિશન લખવામાં આવ્યું હતું.
કોમ્યુનિટી ટ્રાન્સમિશન એ સ્થિતિને કહેવામાં આવે છે, જેમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયા કરે અને સંક્રમણનો સ્રોત શોધવામાં મુશ્કેલી પડે. ભારતમાં ગઈ કાલે સવાર સુધી કોરોનાના 6,412 કેસ નોંધાયા હતા, જેમાં 199 લોકોનાં મોત થયાં હતાં.
WHO દ્વારા જાહેર કરાયા પછી આ રોગે કેટલાક સમયમાં જ દુનિયાઆખીને ભરડામાં લઈ લીધી છાએ અને શુક્રવારે કોવિડ-19નો પહેલો કેસ આવ્યા બાદ 100 દિવસ પૂરા થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે માથુ ઉંચકી રહ્યો છે. રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે અને સરકારની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના નવા 54 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં આજે કુલ 31 જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ અંગે વિગતો આપી હતી. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવાં 54 જેટલા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આજે એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યાર આજે કોઈ જ મોત નોંધાયું નથી.
કુલ 432 દર્દીઓમાંથી હાલ ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે કુલ 34 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત હાલ 376 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.
અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8332 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 432 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 7617 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 282 સેમ્પલનો રિપોર્ટ બાકી છે.
અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કુલ 228 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 15, આતંરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 27 અને લોકલ ટ્રાન્સમિશનના 186 કેસનો સમાવેશ થાય છે. કોરોનાના કારણે અમદાવાદમાં કુલ સાત લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો સાજા થયા છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.