EPFOએ 1.37 લાખ PFના દાવાઓની ચૂકવણી કરી

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝરે (EPFO)એ કહ્યું હતું કે ફંડે કર્મચારીઓના 1.37 લાખના દાવાઓની ચુકવણી કરી છે. આ કર્મચારીઓના ઉપાડ થકી EPFOએ રૂ. 280 કરોડની  ચુકવણી કરી છે. લોકડાઉન દરમ્યાન EPFOએ સબસ્ક્રાઇબર્સને આનાથી મોટી રાહત મળી છે. લેબર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેના જંગમાં સબસ્ક્રાઇબર્સ માટે વિશેષ જોગવાઈ હેઠળ રૂ. 279.65 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

EPFOના નિવેદન મુજબ પૈસા પહેલેથી જ સબસ્ક્રાઇબર્સનાં ખાતાઓમાં મોકલવાનું શરૂ થઈ ગયું છે. EPFOએ છેલ્લા 10 દિવસમાં આ દાવાઓની ચુકવણી કરી છે. વર્તમાન સિસ્ટમ એ તમામ અરજીઓની પ્રક્રિયા 72 કલાકથી ઓછા સમયમાં થઈ ગઈ છે, જેમની KYC થઈ ચૂકી છે. બીજી શ્રેણીમાં દાવો કરનારા સબસ્કાઇબર્સ પણ આ રોગચાળો સામે લડવા માટે પોવિડન્ટ ફંડને ઉપાડી શકે છે. લેબર મંત્રાલય તેમના દાવાની પ્રક્રિયા શક્ય તેટલી ઝડપી બને એ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે EPFમાંથી વિશેષ ઉપાડની જોગવાઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)નો હિસ્સો છે, જે સરકારે જાહેર કરી હતી. પેરા 68 એલ (3) ને 28 માર્ચ, 2020 ના રોજ ઇપીએફ યોજનામાં ઉમેરવામાં આવ્યો હતો.

આ જોગવાઈ હેઠળ, ત્રણ મહિનાના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું અથવા EPF ખાતામાં જમા કરાયેલ 75 ચકા રકમ- જે પણ ઓછી હશે એ દાવા હેઠળ મળી શકશે. આ ઉપાડની રકમ પરત કરવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું હતું કે આ રકમ પર ઇન્કમ ટેક્સ કાપ પણ નહીં થાય.

સબસ્ત્રાઇબર્સની મોટી માગને જોતાં  EPFOએ પ્રોસેસિંગ માટે એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું હતું. EPFથી પૈસા કાઢવાની પ્રક્રિયા ઓનલાઇન છે, જેથી સામાજિક અંતર રહે.