Video: સુરતમાં કીમ નજીક મોટી રેલવે દુર્ઘટના ટળી

સુરત: છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. વધુ એક પ્રયાસ સુરતના કીમ નજીક કરવામાં આવ્યો છે. અહીં ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.કીમ નજીક ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું હતું. જો કે રેલવે વિભાગની સતર્કતાના લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી.

હવે અહીં સવાલ એ છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જો રેલવે વિભાગે સતર્કતા ન દાખવી હોત તો ભીષણ દુર્ઘટના બની હોત અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.