યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભારત આવશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારત આવી શકે છે. ભારતમાં યુક્રેનના રાજદૂત એલેક્ઝાન્ડર પોલિશચુકે આ માહિતી આપી છે.

યુક્રેનના રાજદૂતે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મારા રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને મને આશા છે કે તે થશે. કદાચ આ વર્ષના અંત સુધીમાં અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને અહીં જોઈને ખુશ થઈશું, જો કે તેઓ ક્યારે ભારત આવશે તે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક પગલું આગળ વધારશે. આ બંને નેતાઓને વિશ્વભરમાં શાંતિ-નિર્માણ પ્રક્રિયા પર ચર્ચા કરવા માટે વધુ સમય પસાર કરવાની એક મોટી તક પૂરી પાડશે.

ઝેલેન્સકી ભારતની મુલાકાત લેવા આતુર છે

યુક્રેનિયન રાજદૂતે ઝેલેન્સકીની યુક્રેનની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત સુરક્ષા ચિંતાઓને કારણે પણ ટૂંકી હતી. અહીં બંને નેતાઓ પાસે ચર્ચા માટે વધુ સમય હશે, તેમણે ઉમેર્યું, હું ચોક્કસપણે જાણું છું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભારતની મુલાકાત લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેઓ અહીં ક્યારેય આવ્યા નથી. તેમણે કહ્યું, આ મુલાકાત બંને પક્ષો માટે એક મોટી તક હશે.