શ્રેયસ ઐયરે WTCની ફાઇનલ માટે બેક સર્જરી ટાળી

નવી દિલ્હીઃ શ્રેયસ ઐયર આગળની સારવાર અને પીઠની ઇજાથી ઊભરવા માટે NCA ગયા અને તેઓ ઇન્જેક્શન લેશે. તેની ફિટનેસ ટેસ્ટ જાણ્યા પછી તેના રમવા અગરનો નિર્ણય લેવામાં આવશે. ઐયર જૂનમાં WTCની ફાઇનલ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેવા ઇચ્છે છે, એમ ક્રિકબઝના રિપોર્ટ કહે છે. તેણે નિષ્ણાત અને NCAના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બધા એ વાતે સહમત હતા કે ઓપરેશન ટાળી શકાય છે. એ નિષ્ણાતોની સલાહને અનુસરશે. જોકે ઐયર IPL માટે પણ તૈયાર છે. મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે સ્વીકાર કર્યો હતો કે કપ્તાન શ્રેયસ ઐયર ટીમ માટે એક મહત્ત્વનો ક્રિકેટર છે.

શ્રેયસની ગેરહાજરી ખટકશે.  તે ટીમમાં બહુ જલદી પરત ફરશે અને ટીમમાં તેની હાજરીથી બહુ ફરક પડશે. જોકે પંડિતે નીતીશ રાણા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે એ ક્રિકેટરોની પસંદગી કરીએ છીએ, જે જવાબદારી સમજે છે. તે ઘણા લાંબા સમયથી KKRની સાથે છે અને તેનો ઘરેલુ રેકોર્ડ પણ મજબૂત છે.

28 વર્ષીય ઐયરે ભારત માટે 49 T-20, 42 વન-ડે અને 10 ટેસ્ટ મેચ રમી છે. T-20માં અય્યરે 30.7ની સરેરાશ અને 136ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતાં તેણે 1043 રન બનાવ્યા છે જેમાં તેણે સાત અર્ધ સદી પણ ફટકારી છે. ઐયરે વન-ડેમાં 46.6ની સરેરાશથી બે સદી અને 14 અર્ધ સદીની મદદથી 1631 રન બનાવ્યા છે. તેના ઉપરાંત ટેસ્ટમાં તેણે 41.6ની સરેરાશથી 666 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટમાંથી એક સદી અને પાંચ અર્ધ સદી જોવા મળી છે.