આઈપીએલ-2023 માટે રોહિત શર્મા બન્યો જિયો સિનેમાનો બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની માલિકીના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયો સિનેમાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આ વર્ષની મોસમ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માને કરારબદ્ધ કર્યો છે.

રોહિતને દર્શાવતી જાહેરખબરો અને પ્રચાર ક્લિપ્સને જિયો સિનેમા ટૂંક સમયમાં જ પ્રસ્તુત કરશે. જિયો સિનેમા અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ, બંને રિલાયન્સ ગ્રુપની માલિકીના છે. આઈપીએલ માટેના ડિજિટલ પ્રસારણના હક જિયો સિનેમાએ મેળવ્યા છે જ્યારે ટીવી પ્રસારણ હક સ્ટાર સ્પોર્ટ્સે મેળવ્યા છે. જિયો સિનેમાએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચીન તેંડુલકર, સૂર્યકુમાર યાદવ, એમ.એસ. ધોની, સ્મૃતિ મંધાનાને પણ કરારબદ્ધ કર્યાં છે.