તો IPL2020 રદ થશેઃ પંજાબ ટીમના માલિક વાડિયાનો ધડાકો

નવી દિલ્હીઃ IPL ક્રિકેટ સ્પર્ધાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના સહમાલિક નેસ વાડિયાએ ધડાકો કર્યો છે. એમણે કહ્યું છે કે આ વખતની ટુર્નામેન્ટ દરમ્યાન કોવિડ-19નો એક પણ પોઝિટીવ કેસ નોંધાવો ન જોઈએ, નહીં તો સ્પર્ધા રદ કરવામાં આવશે. નેસ વાડિયા ઉપરાંત બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા, મોહિત બર્મન અને કરણ પૌલ પંજાબ ટીમના માલિકો છે.

આ વખતની આઈપીએલ-13 સ્પર્ધા યુએઈમાં યોજાવાની છે. ભારતમાં કોરોના વાઈરસના અસંખ્ય કેસ બન્યા હોવાથી આ વખતની સ્પર્ધા ભારત બહાર રમાડવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નિર્ણય લીધો છે અને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ યજમાન બનવા તૈયાર થયું છે. સ્પર્ધા આવતી 19 સપ્ટેંબરથી 10 નવેંબર સુધી યુએઈમાં રમાશે.

જ્યાં એક બાજુ IPL સ્પોન્સરને લઈને બહુ અટકળો ચાલી રહી છે, ત્યારે મને લાગે છે કે આ હાસ્યાસ્પદ છે. માત્ર એક બાબત જે અમે (ટીમના માલિક)  જાણીએ છીએ કે આ IPL ટુર્નામેન્ટ થઈ રહી છે. અમે ખેલાડીઓ અને એમાં સામેલ લોકોની સુરક્ષા વિશે બહુ ચિંતિત છે. અહી સુધી કે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો તો IPLને રદ પણ કરવામાં આવી શકે છે.

વિવોની ચિંતા BCCIને

જૂનમાં લદ્દાખ-પૂર્વમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે હિંસક ઘટના પછી વાડિયાએ કહ્યું હતું કે IPLને ધીમે-ધીમે ચીની પ્રાયોજકોથી દૂર કરવી જોઈએ. IPLમાં વિવોના ભવિષ્ય છતાં વાડિયાએ કહ્યું હતું કે મને નથી માલૂમ કે BCCIએ ટાઇટલ સ્પોન્સર પર શો નિર્ણય લીધો છે. બધી ટીમના માલિકોની વચ્ચે એક બેઠક હતી અને IPLને સફળ બનાવવા માટે અમે તૈયાર છીએ. અમે BCCIનું સમર્થન કરવા માગીએ છીએ અને ટૂંક સમયમાં ફરી એક બેઠક થશે.

IPL 2020 સુપરરહિટ થશે

હાલના આર્થિક માહોલમાં વાડિયાને લાગે છે કે પ્રાયોજક ઘણી વાટાઘાટ કરશે, પણ તેઓ આ વખતની IPLને સુપરહિટ માને છે. નેસે કહ્યું હતું હું મારું નામ બદલી નાખું જો આ IPL અત્યાર સુધીની સૌથી વધુ સફળ (જોવાતી) ટુર્નામેન્ટ ના બને તો. આ સૌથી સારી IPL હશે. તમે મારા શબ્દો પર ધ્યાન આપજો. પ્રાયોજકોને આ વર્ષે IPLનો હિસ્સો નહીં બને તો એ એ નરી મૂર્ખતા હશે.  આ IPLનો હિસ્સો નહીં થાય તો એ તેમની એક મોટું ખોટું પગલું હશે. હું વાસ્તવમાં માનું છું કે જો હું એક પ્રાયોજક હોત તો હું આ વખતે જરૂર એમાં સામેલ થાત.  

કોરોના કેસ ના આવવો જોઈએ

IPL ટુર્નામેન્ટના સુચારુ સંચાલન માટે BCCIએ ટીમોને 16 પાનાંની SOP મોકલી છે. એના માટે ક્રિકેટરો, મદદ કરતા કર્મચારીઓ, ટીમના અધિકારીઓ અને માલિકોને સુરક્ષિત વાતાવરણનો હિસ્સો બનવું પડશે. વાડિયાએ પોતે IPL માટે UAE નહીં જવાનો નિર્ણય કર્યો છે, પણ કહ્યું છે કે સુરક્ષાથી સમજૂતી નહીં કરવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આપણે સુરક્ષિત રહેવાનું છે અને પર્યાવરણને અનુકૂળ રહેવાનું છે.