ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કોહલીની ભારોભાર પ્રશંસા કરી

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ઇંગ્લેન્ડની સામે મળેલી જીત પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે કોહલીએ મેચના છેલ્લા દિવસે જે વસ્તુની ટચ કરી એ સોનું બની ગયું. મેં પાંચમા દિવસની રમત શરૂ થવા પહેલાં કહ્યું હતું કે એ કોહલીની કેપ્ટનની આ સૌથી મોટી ટેસ્ટ હશે, તેણે એને પાસ કરી. ઓવલની પિચ ફાસ્ટ બોલરો માટે થોડી ઓછી મદદ કરે છે, પણ કોહલીએ છેલ્લા દિવસે ઇંગ્લેન્ડની 10 વિકેટ ખેરવી. 

ભારતીય ટીમની આ શાનદાર જીત છે, કેમ કે ભારતની પહેલી ઇનિંગ્સ 191 રનમાં સમેટાઈ હતી. એ પછી ઇંગ્લેન્ડને ભારતે માત્ર 99 રનની લીડ લેવા દીધી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતે મજબૂત બેટિંગ કરીને 466 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

ટેસ્ટ મેચના છેલ્લા દિવસે બોલિંગમાં પરિવર્તનનું કામ કર્યું. કોહલીએ ટી પછી બીજો નવો બોલ લીધો ત્યારે ઉમેશ યાદવે ક્રેગ ઓવરટોનની વિકેટ લીધી હતી. એ કોહલીનો મિડાસ ટેસ્ટ હતો. ભારત હવે પ્રસિદ્ધ સિરીઝ જીતવાથી એક મેચ દૂર છે. ભારતે કદાચ ચોથી ટેસ્ટમાં ટોચનું રેન્કિંગના સ્પિનર આર. અશ્વિનને મિસ કર્યો હોય, પણ તેની પસંદગી ન થવી એ અપ્રાસંગિક થઈ ગઈ. લોકોએ કહ્યું ભારત તેને યાદ કરશે. કોહલીએ કહ્યું હતું કે નહીં હું નહીં કરું, હું વિકેટો લેવા માટે બોલરોને ટેકો આપું છું, તે યોગ્ય હતા. જેમ્સ એન્ડરસને મને કહ્યું હતું કે ચોથા દિવસે ઝડપી બોલરો માટે પિચમાં કશું હતું નહીં.