EDએ ક્રિકેટર અઝરુદ્દીનને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા

હૈદરાબાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના નાણાકીય કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝરુદ્દીનને સમન્સ પાઠવ્યાં છે. તેમને આજે ED ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. આ કેસ રૂ. 20 કરોડની હેરાફેરીનો છે.

ક્રિકેટર અઝરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ફંડના દુરુપયોગનો આરોપ છે. જેથી EDએ HCAના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. EDએ તેલંગાણામાં નવ સ્થાનો પર દરોડા પાડ્યા હતા અને અનેક મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતાં.

આ કેસ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય ગેરરીતિનો છે. તેમની પર આરોપ છે કે અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરો પર કોન્ટ્રેક્ટ આપ્યા હતા અને એસોસિયેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.આ કેસમાં EDએ ત્રણ FIR નોંધાવી છે અને વધુ તપાસ જારી છે.

અઝરુદ્દીન સપ્ટેમ્બર, 2019માં HCAના અધ્યદ તરીકે ચૂંટાયો હતો. જૂન, 2021માં તેણે અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું. અઝહરુદ્ધીન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ એસોસિયેશનના CEO સુનીલ કાંત બોસે કરી છે. જોકે અઝરુદ્ધીને આ આરોપોને નકાર્યા હતા.આ પહેલાં નવેમ્બર, 2023માં સેશન્સ જસ્ટિસ બી. આર. મધુસૂદનમાં ઉપ્પલ પોલીસ દ્વારા નોંધાયેલા ત્રણ અલગ-અલગ ગુનાઇત કેસમાં જામીન આપ્યા હતા. પોલીસે અઝરુદ્દીન અને અન્ય પર ઉપ્પલમાં HCA સ્ટેડિટમ માટે ક્રિકેટ બોલ, જિમ ઉપકરણ અને ફાયરબ્રિગ્રેડ યંત્ર ખરીદતાં સમયે ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો હતો.