નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના ઇંદિરા ભવન સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ દરમિયાન તેમણે મુખ્ય ચૂંટણી પંચ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેઓ લોકશાહીને નાશ કરનારાઓથી બચાવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ હાઈડ્રોજન બોમ્બ નથી, હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે. આ દેશના યુવાનોને બતાવવા અને સ્થાપિત કરવા માટેનો એક વધુ માઈલસ્ટોન છે કે ચૂંટણીમાં કેવી રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે.
હાઈડ્રોજન બોમ્બ આવવાનો છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સૌથી પહેલાં આ હાઈડ્રોજન બોમ્બ નથી, હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે. આ દેશના યુવાનોને બતાવવા અને સ્થાપિત કરવા માટેનો એક વધુ માઈલસ્ટોન છે કે ચૂંટણીમાં કેવી રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કર્ણાટકના આલંદમાં 6018 મત ઈરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવ્યા. આ બધા મત એવા પોલિંગ બૂથમાંથી ઈરાદાપૂર્વક ડિલીટ કરવામાં આવ્યા જ્યાં કોંગ્રેસ ઉમેદવારને મત મળવાના હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં આ મામલે તપાસ ચાલી રહી છે. CID એ 18 મહિનામાં 18 પત્ર મોકલ્યા છે, જેમાં ચૂંટણી પંચને આ ફોર્મ્સના ડેસ્ટિનેશન IP, ડિવાઈસ ડેસ્ટિનેશન પોર્ટ્સ અને OTP ટ્રેઈલ્સ આપવા જણાવ્યું હતું, પરંતુ ચૂંટણી આયોગ આ માહિતી આપી રહ્યો નથી. કારણ કે એથી ખબર પડી જશે કે આ ઓપરેશન ક્યાંથી સંચાલિત થયું હતું. FIR ફેબ્રુઆરી 2023માં નોંધવામાં આવી હતી.
LIVE: Special Press Conference – Vote Chori Factory https://t.co/ne8cdFCnMs
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર હુમલો કરતાં કહ્યું હતું કે ECI એ ઓગસ્ટ 2023માં જવાબ આપ્યો હતો, પરંતુ CID ને આ માહિતી આપી નથી. જાન્યુઆરી 2024માં CID એ ફરીથી ECI ને સંપૂર્ણ માહિતી મોકલવા લખ્યું હતું, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. 18 રિમાઈન્ડર પત્રો પણ લખવામાં આવ્યા હતા. કર્ણાટકના CEC એ પણ અનેક વખત ECI ને માહિતી આપવા કહ્યું હતું, પરંતુ કોઈ જવાબ આવ્યો નથી. આ નક્કર પુરાવો છે કે જ્ઞાનેશ કુમાર આ કરાવી રહ્યા છે. આ મોટા સ્ત્રોતોના ઉપયોગથી કરવામાં આવી રહ્યું છે.


