રાયબરેલીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બુધવારે પોતાના જ સંસદીય ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ કાર્યકરોએ તેમનો કાફલો અટકાવી જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો અને રાહુલ ગાંધી વાપસ જાઓનાં સૂત્રો પોકાર્યાં હતાં. આ વિરોધનું કારણ PM મોદીની માતા સામે કથિત અપશબ્દો છે, જેને લઈને કાર્યકરો અને નેતાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
Patna: Leader of the Opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi during the ‘Voter Adhikar Yatra’, in Patna on Monday, September 1, 2025. (Photo: IANS)ભાજપ કાર્યકરો સાથે રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહ પણ રસ્તા પર ઊતરી આવ્યા. સમર્થકો સાથે ધરણાં પર બેસીને તેમણે રાહુલ ગાંધીનો રસ્તો રોકી દીધો. આ હોબાળાની વચ્ચે રાહુલનો કાફલો લગભગ એક કિલોમીટર પહેલાં જ અટકી ગયો. પોલીસ જ્યારે મંત્રી દિનેશ સિંહને હટાવવા પહોંચી ત્યારે કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. જોકે થોડા સમય પછી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
BREAKING : Rahul Gandhi’s convoy attacked by BJP workers in Raebareli
Even UP Police also failed to stop the protestors, why such lil force?
Was this a plot against LoP RaGa? pic.twitter.com/OIOsdXbVod
— Ankit Mayank (@mr_mayank) September 10, 2025
દિનેશ પ્રતાપ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ PM મોદીની માતાને ગાળો આપી છે. તેમCs જાહેરમાં માફી માગવી જોઈએ અને આવા કાર્યકરોને પાર્ટીમાંથી બહાર કરવા જોઈએ. એ જ સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશભરમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’નું સૂત્ર સાચું સાબિત થઈ રહ્યું છે. અમે તેને વારંવાર અને વધુ નાટકીય રીતે સાબિત કરીશું. રાહુલ ગાંધીના આ પ્રવાસની શરૂઆત જ વિરોધ અને વિવાદથી થઈ, જે દર્શાવે છે કે રાયબરેલીનું રાજકારણ આ વખતે વધુ ગરમ રહેવાનું છે.
