નવી દિલ્હીઃ ઇરાને ભારત માટે એરસ્પેસ ખોલી દીધી છે. ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે રાત્રે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતાં. તેમાના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી ત્રણ ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી. આજે દિવસ દરમિયાન વધુ બે ફ્લાઇટ્સ આવશે. આ ત્રણ ફ્લાઇટ્સ દ્વારા લગભગ 1000 ભારતીયો ભારત પહોંચશે.
#OperationSindhu flight brings citizens home.
🇮🇳 evacuated 290 Indian nationals from Iran, including students and religious pilgrims by a charter flight. The flight arrived in New Delhi at 2330 hrs on 20 June and was received by Secretary (CPV& OIA) Arun Chatterjee.
Government… pic.twitter.com/ZORq0aeza5
— Randhir Jaiswal (@MEAIndia) June 20, 2025
ભારતીય દૂતાવાસ પહેલાં ભારતીયોને તહેરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું. હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઊતરી, ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો. પછી તેમણે ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેમણે મોદી સરકારનો આભાર માન્યો હતો.
ભારતીયોએ પોતાની આપવીતી વર્ણવી
ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ કહ્યું કે, ‘ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. ઈઝરાયલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે. ઈમારતો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ.
