નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. મહત્ત્વની વાત એ છે કે, હાલ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી.
નવો કાયદામાં ટેકનિકલ ભૂલો માટે દંડને દંડથી બદલવાનો પ્રસ્તાવ છે. નાના કર ગુનાઓ પર જ દંડ લાગશે. વિદેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે. વિદેશ મુસાફરી માટે TCS દર 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ કાયદામાં અઘોષિત આવકને ₹1 કરોડ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે.
સરળ ફોર્મ: આવકવેરા રિટર્ન (ITR) ભરવા માટેના ફોર્મને એકદમ સરળ બનાવવામાં આવશે. જેથી સામાન્ય કરદાતા પણ આસાનીથી રિટર્ન ફાઈલ કરી શકે.
દંડમાં રાહત: ટેકનિકલ ખામીઓ બદલ હવે સજાને બદલે માત્ર દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ માટે જેલની સજા નહીં, પણ માત્ર આર્થિક દંડ લાગશે.
વિદેશ પ્રવાસ સસ્તો: વિદેશ પ્રવાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશ યાત્રા માટે TCS (Tax Collected at Source) નો દર ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.
અઘોષિત આવક: અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી કાયદાકીય ગૂંચવણો ઓછી થશે.
રિટર્ન ફાઈલિંગ: કરદાતાઓ 31 ડિસેમ્બરના બદલે હવે 31 જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકશે. નોન-ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
NRI પ્રોપર્ટી: જ્યારે કોઈ નિવાસી ભારતીય (Resident) NRI પાસેથી પ્રોપર્ટી ખરીદે ત્યારે TDS કાપવો પડશે. જેના માટે હવે TANની જરૂરિયાત અંગેના નિયમો સરળ બનશે.




