ગો ફર્સ્ટનાં કર્મચારીઓને મળ્યો ટાટાનો સહારો; એર ઈન્ડિયામાં નોકરીની તક

મુંબઈઃ સ્વૈચ્છિક નાદારી જાહેર કરનાર ખાનગી ક્ષેત્રની એરલાઈન ગો ફર્સ્ટના 5,000 જેટલા કર્મચારીઓ પર નોકરીવિહોણા થવાનું જોખમ ઊભું થયું છે. જોકે સંકટમાં આવી ગયેલા આ કર્મચારીઓને ટાટા ગ્રુપની એર ઈન્ડિયા કંપની તરફથી ઘણું જ સારું સમર્થન મળ્યું છે. વાસ્તવમાં, એર ઈન્ડિયાએ મોટા પ્રમાણમાં નોકરીની તકોની જાહેરાત કરી છે. એ માટે દિલ્હીમાં વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

આ ઈન્ટરવ્યૂમાં ગો ફર્સ્ટના પાઈલટ્સ સહિત અનેક કર્મચારીઓએ પણ એમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પાઈલટોને એમનું ફ્લાઈંગ લાઈસન્સ ચાલુ રખાવવા માટે નોકરીની જરૂર હોય છે.