ટ્રેનોમાં, સ્ટેશન પર માસ્ક ન પહેરનારને રૂ.500નો દંડ કરાશે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા હોવાથી તેનો ફેલાવો રોકવા માટે રેલવે તંત્ર વધારે કડક બની ગયું છે. તેણે નક્કી કર્યું છે કે ટ્રેનોની અંદર અને સ્ટેશનો પર તેમજ સ્ટેશન પરિસરમાં જે લોકો માસ્ક ન પહેરે એમને રૂ. 500નો દંડ ફટકારવો.

રેલવે મંત્રાલયે આ માટેનો લેખિત પત્ર તમામ રેલવે ઝોનના જનરલ મેનેજરોને મોકલ્યો છે. મંત્રાલયે તમામ ઝોનલ રેલવેને આદેશ આપ્યો છે કે આ સંદર્ભમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને તેનો અમલ છ મહિના સુધી કરવાનો રહેશે.