PM મોદીનો બેંગલુરુમાં રોડ-શોઃ બજરંગબલીની જયનો સૂત્રોચ્ચાર

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બેંગલુરુમાં ભવ્ય રોડ-શો શરૂ થઈ ચૂક્યો છે. આ રોડ-શો દરમ્યાન રોડની બંને બાજુ મોટી સંખ્યામાં ટેકેદારો હાજર હતી, જે PM મોદી પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. તેમના રોડ-શોને લઈને સુરક્ષા-વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. તેઓ મોદીના રોડ-શોમાં બજરંગબલી જયના નારા લાગી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં શુક્રવારે કર્ણાટક પહોંચ્યા હતા.

તેમનો વિશાળ રોડ-શો આશરે 13 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થશે. કર્ણાટકમાં 10 મેએ થનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ચૂંટણીપ્રચાર હેઠળ મોદીનો રોડ શો રવિવારે આયોજિત કરવામાં આવશે. વડા પ્રધાન મોદીનો 26 કિલોમીટર સુધીનો મેગા રોડ શો સવારે 10 કલાકે શરૂ થયો છે. આ રોડ-શો બપોરે જેપી નગરના બ્રિગ્રેડ મિલેનિયમથી બેંગલુરુ સેન્ટ્રલના મલ્લેશ્વરમમાં મરમ્મા સુધી સર્કલ સુધી હશે. આ રોડ-શોમાં 10 લાખથી વધુ લોકો ભાગ લેવાની અપેક્ષા છે. આ રોડ-શોનો બીજા તબક્કામાં રવિવારે બેંગલુરુ સવારે 10 કલાકે શરૂ થશે.

રાજ્યના કેબિનેટ મંત્રીની શોભા કરંદલાદજે કહ્યું હતું કે NEET પરીક્ષાઓને ધ્યાનમાં રાખતાં કર્ણાટક ભાજપે 6-7 મેએ વ્યાપક કાર્યક્રમનો નાનો કાર્યક્રમ કરીને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીના બેંગલુરુમાં બે દિવસીય રોડ-શોમાં ફેરફાર કર્યો હતો. NEETની પ્રવેશ પ્રવેક્ષા સાત મેએ થશે. કર્ણાટકમાં 224 સીટો પર 10 મેએ મતદાન થશે. ચૂંટણી પ્રચાર આઠ મેએ સાંજે પાંચ કલાકે થંભી જશે. આ ચૂંટણીનું પરિણામ 13 મેએ આવશે.