ખેડૂતો માટે PM કર્યો નિર્ણય, 9.3 લાખ બનશે લાભાર્થી

રવિવાર અને 9મી જૂન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપત ગૃહણ કર્યા. PM પદ પર આવતાની સાથે નરેન્દ્ર મોદીએ મહત્વના નિર્ણય કર્યા છે. જ્યાં એક બાજું શપત ગૃહણ કરતાની સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. જે બાદ PM ટેલિફોનીક વાત પણ કરી હતી.

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયના પ્રથમ દિવસે જ PM મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ લગભગ 9.3 કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ 20 હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવશે.

PM મોદી શું કહ્યું 

ત્રીજી વખત કાર્યકાળની શરૂઆતમાં નિર્ણય કર્યા બાદ PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી 3.0માં રાજ્ય મંત્રી તરીકે 36 નેતાઓનો સમાવેશ કરાયો છે.