આ દરગાહ પર ‘ફૂલોં વાલી સેર’ એ જ ગાંધીને સાચી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી: સત્ય અને અહિંસાનો સંદેશો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીની આજે પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી, હત્યાના ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શાંતિ સ્થાપવાના ઉદેશ્યથી ગાંધીજી મહરૌલી સ્થિતિ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ પર ગયા હતા. એ સમયે દિલ્હી સાંપ્રદાયિક હિંસમાં સળગી રહ્યું હતું. એક તરફ દિલ્હીમાં કડકડતી ઠંડી અને બીજી તરફ સાંપ્રદાયિક તણાવને કારણે થયેલા નુકસાનને નજરે જોવા માટે 79 વર્ષી ગાંધી સવારે આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. તે ઘણા ચિંતિત હતા કે ધર્મના નામે મુસલમાનો પર તેમની જ જમીન પર હુમલો કરવામાં આવ્યો. એ સમયે તેમની સાથે મૌલાના આઝાદ અને રાજ કુમારી અમૃત કૌર પણ હતી.

બાપુ થોડા સમય પહેલા જ ઉપવાસ પર હતા એટલા માટે તેમની શરીર પણ નબળું પડી ગયુ હતુ અને અસ્વસ્થ હતા. હિંસા દરમ્યાન આ પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો અને ઘણી બર્બરતા કરવામાં આવી, જેના કારણે અનેક મુસલમાનોને તેમનું ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જવાની નૌબત આવી. આ સ્થિતિ એટલી વિકટ હતી કે, દરગાહના કર્મચારીઓએ પણ જીવ ગુમાવવાના ડરે એ સ્થળ છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહેવું પડયું હતું.

એ દિવસોમાં સમગ્ર મહરૌલી વિસ્તાર ગામડાઓથી ઘેરાયેલો હતો. ગ્રીન પાર્ક, હૌજ ખાસ, સફદરજંગ ડેવલપમેન્ટ એરિયા (એસડીએ), આઈઆઈટી તેમજ જૂદા જૂદી દક્ષિણી દિલ્હીની કોલીનીઓ 50ના દાયકાના મધ્યથી જ અસ્તિત્વમાં આવી હતી. મહાત્મા ગાંધી પૂર્ણહુતિમાં બાપુના અંગત સહાયક પ્યારે લાલ નાયરે લખ્યું કે, દરગાહ કેટલાક ભાગને ક્ષતિગ્રસ્ત જોઈને બાપુ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. અહીં પાકિસ્તાનથી આવતા શર્ણાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને સરકાર દ્વારા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહની નજીકમાં શરણ આપવામાં આવ્યું હતું.

દરગાહ પર બાપુએ તમામ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી. તેમણે શરણાર્થીઓને ક્ષતિગ્રસ્ત વિસ્તારના પુનનિર્માણ માટે કહ્યું. ગાંધીજીએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દરગાહનું રિપેરિંગ કરાવવા માટે કહ્યું કારણે રમખાણો દરમ્યાન અહીં મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. જેના માટે ગાંધીજીએ નેહરુને 50 હજાર રુપિયાનું ફંડ આપવા પણ કહ્યું હતુ. 50 હજાર રૂપિયા એ સમયે એક મોટી રકમ ગણાતી હતી. તેમની યાત્રા દરમ્યાન ગાંધીજી લખ્યું અજમેર સ્થિત દરગાહ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ દેશની બીજી એવી દરગાહ છે જ્યાં દર વર્ષે મુસલમાનો જ નહીં પણ હજારોની સંખ્યામાં અન્ય ધર્મના લોકો પણ આવે છે.

દરગાહ છોડયા પહેલા ગાંધીજીએ એક મોટી સભાને સંબોધિત કરતા સાંપ્રદાયિક સદભાવ તેમજ એકતાનો સંદેશ પણ આપ્યો હતો. દિલ્હીમાં 12 એપ્રિલ 1915થી લઈને 30 જાન્યુઆરી 1948 સુધી કુલ 744 દિવસના પ્રવાસમાં ગાંધીજીએ દિલ્હીમાં માત્ર બે વખત ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે 22 સપ્ટેમ્બર 1939ના રોડ બિરલા મંદિરનું ઉદ્ઘાટન એ શરત પર કર્યું કે મંદિરમાં દલિતોને પણ પ્રવેશ આપવામાં આવે. તેમણે બીજી વખથ જે ધર્મ સ્થળની મુલાકાત લીધી તે આ દરગાહ હતી. જોકે, તે દિલ્હીમાં વાલ્મીકિ મંદિરના એક નાનાકડા રૂમમાં રહેતા હતા જ્યાં તે વાલ્મીકિ સમુદાયના બાળકોને ભણાવતા હતાં.

બખ્તિયાર કાકી દરગાહ દર વર્ષે વસંત ઋતુમાં ખીલી ઉઠે છે, જ્યારે દિલ્હીમાં સાંપ્રદાયિક સૌહાર્દનો ઉત્સવ મનાવવા માટે વાર્ષિક ‘ફૂલ વાલોની સેર’ નું આયોજન કરવામાં આવે છે. આ સાચા અર્થમાં ગાંધીજી માટે એક શ્રદ્ધાંજલિ છે, જે હંમેશા એક વાત માટે દ્રઢ હતા કે, ભારતમાં ધર્મનિરપેક્ષતા જીવિત રહે. 1961માં તત્કાલિન વડાપ્રધાન નેહરુ દ્વારા સાત દિવસીય પર્વને પુનર્જીવિત કરવામાં આવ્યું. આ તહેવાર દરમ્યાન હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો દરગાહ પર ચાદર ચઢાવે છે.