અભિજિત મૂહુર્તમાં રાજકોટ ઠાકોરસાહેબને રાજતિલક

રાજકોટઃ 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની આજે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતો ઉપસ્થિતિ રહ્યા હતા. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.