ઝારખંડમાં ઘૂસણખોર બંગલાદેશીની ગણતરી કરવા HCનો આદેશ

રાંચીઃ ઝારખંડમાં બંગલાદેશીઓની ઘૂસણખોરી અને આદિવાસીઓની ઘટતી વસતિનો મામલો સમાચારોમાં છે. ઝારખંડ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે એ સંથાલ પરગણમાં રહી રહેલા બંગલાદેશી ઘૂસણખોરીઓની ઓળખ કરીને તેમની ગણતરી કરે અને ડિપોર્ટ કરવાનો એક્શન પ્લાન કોર્ટને જણાવે. હાઇકોર્ટમાં જસ્ટિસ સુજિત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ અરુણકુમાર રાયની બેન્ચે દુમકા, પાકુડ, જામતાડા, દેવધર, સાહેબગંજ અને ગોડ્ડા જિલ્લાના DMને આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટેને જણાવે કે આ જિલ્લાઓમાં કેટલા ઘૂસણખોરો રહી રહ્યા છે.

જમશેદપુરમાં રહેતા દાનિયાલ દાનિશે ઝારખંડ હાઇકોર્ટમાં PIL ફાઇલ કરી હતી કે સંથાલ પરગણામાં મોટી સંખ્યામાં ઘૂસણખોરો દાખલ થયા છે, જેનાથી અહીંની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે અને આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે. અરજીકર્તા દાનિયાલે કોર્ટને કહ્યું હતું કે સંથાલ પરગણામાં બંગલાદેશી ઘૂસણખોર આદિવાસી મહિલાઓથી લગ્ન કરીને તેમનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને તેમની જમીનોને ગિફ્ટ ડીડ દ્વારા હડપી રહ્યા છે. આ ઘૂસણખોરો આદિવાસી મહિલાઓથી લગ્ન કરીને તેમને નામે રિઝર્વ પોસ્ટને રિમોટથી ચલાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

દાનિયાલે અરજીમાં હાઇકોર્ટને પણ કહ્યું હતું કે ઝારખંડના બંગાળથી લાગતા જિલ્લાઓમાં ઘૂસણખોરો મોટી સંખ્યામાં મસ્જિદો અને મદરેસા કાયમ કરી લે છે. સંથાલ પરગણામાં ઘૂસવું એટલું સરળ છે, કેમ કે બંગલાદેશ માત્ર 15 કિલોમીટર દૂર છે. સંથાલ પરગણાની સરહદ પશ્ચિમ બંગાળથી લાગે છે અને ત્યાં બંગલાદેશ બોર્ડરથી વધુ દૂર નથી.

2011માં સંથાલ પરગણાના બધા જિલ્લાઓમાં આદિવાસીઓની વસતિ માત્ર 28 ટકા રહી ગઈ હતી, જ્યારે 1951માં જ્યાં મુસલમાન 10 ટકાથી ઓછા હતા, એ વધીને આશરે 23 ટકા થયા છે. આ સાથે પાકુડ જિલ્લામાં મુસલમાનોની વસતિ છેલ્લાં 10 વર્ષોમાં 40 ટકા વધી ગઈ છે, જ્યારે સાહિબગંજ જિલ્લામાં મુસ્લિમ વસતિ 37 ટકા વધી ગઈ છે.