મોદીએ રાયપુરના આ માજી ધારાસભ્યને કેમ ફોન કર્યો?

રાયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફોન કરીને રાયપુરની પહેલી મહિલા વિધાનસભ્ય રજનીતાઈ ઉપાસને સાથે વાતચીત કરી હતી. મોદીએ તેમના ખબરઅંત પૂછવા સાથે તેમના આશીર્વાદ પણ લીધા હતા. 87 વર્ષીય તાઈ 1977માં રાયપુર વિધાનસભા સીટથી વિધાનસભ્ય ચૂંટાયાં હતાં. તાઈના પુત્ર અને ભાજપના પ્રદેશ પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસનેએ જણાવ્યું હતું કે વડા પ્રધાને તાઈને કહ્યું હતું કે તમે પક્ષનું બહુ કામ કર્યું છે અને તમે જે જવાબદારી મને આપી છે, એનું હું પાલન કરી રહ્યો છું. ત્યાર બાદ તેમણે કહ્યું કે પુત્રવધૂથી વાત કરાવો.

તાઈજીએ પક્ષની બહુ સેવા કરીઃ PM મોદી

વડા પ્રધાન મોદીએ તાઈજીની પુત્રવધૂ પ્રાચી ઉપાસનેએ કહ્યું હતું કે તાઈજીએ બહુ સેવા કરી છે, અમારા લોકોની, એટલા માટે તેમના આશીર્વાદ લેવા માટે ફોન કર્યો હતો. ઉપાસને કહ્યું હતું કે આજે તાઈજી અને ઉપાસને પરિવાર અભિભૂત છે કે આટલી વ્યસ્તતા છતાં વડા પ્રધાન પક્ષના જૂના અને વરિષ્ઠ સભ્યોથી સીધી વાત કરીને તેમનો ઉત્સાહ વધારીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

તાઈએ વડા પ્રધાન મોદીને રાયપુર આવવા માટે આમંત્રણ આપ્યું

વડા પ્રધાન મોદીથી વાતચીત દરમ્યાન રજની તાઈથી સહજ અંદાજમાં પૂછ્યું કે શું તમારું રાયપુર આવવાનું થશે? વડા પ્રધાને જવાબ ના આપ્યો અને કહ્યું કે અત્યારે તો લોકડાઉન છે, પણ જરૂર આવીશ. તમારા આશીર્વાદ આપો, જેથી દેશને આ મુશ્કેલીમાં બહાર કાઢી શકું. આના જવાબમાં રજની તાઈએ કહ્યું કે મારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે, ખૂબ આગળ વધો.

છત્તીસગઢના ભાજપના પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને કહ્યું હતું કે આજે માતા અને ઉપાસને પરિવાર અભિભૂત છે. દરઅસલમાં છત્તીસગઢ જ્યારે મધ્ય પ્રદેશનો હિસ્સો હતું, ત્યારે સચ્ચિદાનંદ ઉપાસનેનો પરિવાર સંઘ સાથે જોડાયેલો હતો અને ઇમર્જન્સી વખતે જેલમાં પણ ગયો હતો.

છત્તીસગઢનાં પહેલી મહિલા વિધાનસભ્ય

રજની તાઈ છત્તીસગઢની પહેલી મહિલા વિધાનસભ્ય બન્યાં હતાં. વડા પ્રધાનના આ પગલાની પ્રશંસા હવે સોશિયલ મિડિયામાં થઈ રહી છે.