CM કેજરીવાલ અને લિકર કેસના આરોપી વચ્ચે મેસેજના મળ્યા પુરાવા

નવી દિલ્હીઃ દિલ્હીના CM  કેજરીવાલ અને લિકર પોલિસીના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી વકીલ વિનોદ ચૌહાણની વચ્ચે સંબંધોને લઈને EDએ અનેક દાવા કર્યા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં આપ અને CMના આરોપી વિનોદ ચૌહાણની સાથે સંબંધો હોવાના દાવા કરવામાં આવ્યા છે. એમાં સીધા મેસેજ પર વાત થવાનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ ચૌહાણની કેજરીવાલની સાથે જજોથી વાત કરવાને મામલે પણ વાત થઈ હતી.

વિનોદ ચૌહાણની વર્ષ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમ્યાન આમ આદમી પાર્ટીની ચૂંટણી ઝુંબેશ માટે સાઉથ ગ્રુપથી રોકડ લાંચ ટ્રાન્સફર કરવાના આરોપમાં  EDએ ધરપકડ કરી હતી. EDએ કોર્ટ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે વિનોદ ચૌહાણથી રૂ. 1.06 કરોડ જપ્ત કર્યા હતા.

EDએ કોર્ટમાં CM કેજરીવાલના મામલામાં આરોપી વિનોદ ચૌહાણની વચ્ચે સંબંધોનો દાવો કર્યો હતો. કેજરીવાલ ગોવાની ફાઇવ સ્ટાર હોટેલમાં ઊતર્યા હતા, જેની બિલની ચુકવણી એક અન્ય આરોપીએ કરી હતી. વિનોદ ચૌહાણની સાથે સાધા મેસેજની વાતચીતના પુરાવા પણ મોજુદ છે, એવો દાવો EDએ કર્યો હતો. EDએ દલીલ કરી હતી કે વિનોદ ચૌહાણે ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા રૂ. 1.06 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. EDના વકીલે કહ્યું હતું કે વિનોદ ચૌહાણ આ પૈસા ક્યાંથી આવ્યા એનો સોર્સ ના બતાવી શક્યા. હાલ તેઓ જેલમાં છે. દિલ્હીના CM  કેજરીવાલ પણ હાલ તેઓ વચગાળાના જામીન પર છે.