ક્લાયમેટ ચેન્જઃ દેશમાં શહેરી વિસ્તારોમાં વધતી ગરમી ચિંતાજનક

નવી દિલ્હીઃ વિશ્વમાં ક્લાયમેટ ચેન્જને કારણે ભીષણ ગરમી આરોગ્ય અને મૃત્યુદર માટે સૌથી મોટું જોખમ બની ગઈ છે. વર્ષ 2050 સુધી હીટવેવ વૈશ્વિક સ્તરે 3.5 અબજથી વધુ વ્યક્તિઓના જીવન અને આજીવિકા પર કબજો કરી લેશે. આ સંખ્યાનો અડધોઅડધ હિસ્સો શહેરી ક્ષેત્રોનો હશે.આ ભીષણ ગરમી શહેરો માટે ગંભીર ચિંતાનો વિષ્ય બની જશે.

દેશમાં દોઢ અબજની વસતિવાળા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે ગરમીના તનાવ પ્તિ સંવેદનશીલ છે. દેશનાં શહેરી વિસ્તારોમાં વસતિની સઘનતા અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટને પ્રોત્સાહન આપે છે, જેનાથી શહેરી જીવનશૈલીને પગલે શહેરોમાં ગીચ વસતિવાળા વિસ્તારો પર સ્થાનિક રીતે ગરમી વધી જાય છે અને એને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ કહે છે. કલાયમેટ પોલિસી ઇનિશિયેટિવના એક રિપોર્ટથી માલૂમ પડે છે કે ભીષણ તાપમાનને પગલે ભારતે સંભવિત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)માં 5.4 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

ભારતના સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશે જળવાયુ પરિવર્તનના વધતા પ્રભાવોનો સામનો કરવા માટે જળવાયુ પરિવર્તન ઓથિરિટીની સ્થાપના કરી હતી. આ પહેલું રાજ્ય છે, જ્યાં ગ્રામ પંચાયત સ્તરે જળવાયુ કાર્ય યોજનાઓને લાગુ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દુકાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારમાં કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જૂન, 2023માં ઉત્તર પ્રદેશ ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયું હતું. ગરમીને કારણે આશરે 100 લોકોનાં મોત થયાં હતા. જોકે રાજ્યમાં હવે રાહત કમિશનર નવીનકુમાર જીએસે જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં હીટ અધિકારીની નિયુક્તિ પર ગંભીરપણે વિચાર કરી રહ્યા છે. આ અધિકારીની પ્રાથમિકતા વધુ ગરમીથી ઊભા થતાં જોખમોને ખાળવાના અને અર્બન હીટ આઇલેન્ડની પ્રતિકૂળ અસરોને ઓછી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.