ગણપતિ બાપ્પાના અનેક સ્વરૂપ

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીની પૂજા-અર્ચના પછી જ થાય છે ત્યારે સૌ કોઈ ગણેશોત્સવમાં દાદાની આરાધના કરી રહ્યું છે.

સુખ કરતા દુખહર્તા મુંબઈના ‘લાલબાગ કા રાજા’ની જેમ જ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ સજાવવામાં આવ્યો છે.

છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે.

ખંભાતના ત્રણ દરવાજા પાસે આવેલા માવચાવાડમાં શંકર ભગવાનના સ્વરૂપે ગણેશજીની વિશાળ પ્રતિમાની સ્થાપના ભક્તોએ આ વર્ષે કરી છે.

અમદાવાદના કલા ભવનમાં ગણેશજીના આ ઉત્સવમાં રંગભૂમિ, સંગીતથી માંડી તમામ કલા સાથે સંકળાયેલા લોકો પોતાની સેવા આપે છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રથમ વખત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પ્રથમ વખત બોલતા સાયબર ગણેશ બિરાજમાન કર્યા છે.

આ ગણપતિ અમદાવાદ કા રાજા તરીકે જાણીતા છે. છેલ્લા 17 વર્ષથી અમદાવાદ કા રાજાની સ્થાપના કરવામાં આવે છે.

અમદાવાદના દેવમ્ રેસિડન્સીના ગણેશ ઉત્સવમાં બાપ્પાને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દાદાની મૂર્તિ મનોહર લાગી રહી છે.

ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી હોય અને એમાં બાળકો ન હોય એવુ બને જ કઈ રીતે, અમદાવાદની એક શાળામાં નાના ભુલકાઓ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે.

ગુજરાતમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન એક માત્ર ગણેશ મંદિર છે જેના દ્ધારા નિઃશુલ્ક મૂર્તિનું વિતરણ થાય છે ઉપરાંત મંદિરના આગણે જ દાદાની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના મેફેર એપાર્ટમેન્ટ્સે ગણેશોત્સવ દરમિયાન 3 દિવસ માટે ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ – “મેફેર કા રાજા”ની સ્થાપના કરી હતી.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ