BSP એકલી લોકસભા ચૂંટણી લડશે, ગઠબંધન નહીં કરેઃ માયાવતી

લખનૌઃ  BSP સુપ્રીમો માયાવતીનો 68મો જન્મદિવસ છે. BSP માયાવતીના જન્મદિવસને લોક કલ્યાણ દિવસ તરીકે Tજવી રહી છે. BSPએ લોકસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે. BSP અધ્યક્ષ માયાવતીનું કેહવું છે કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવાથી તેમને ચૂંટણીમાં નુકસાન થશે. એટલે તેમણે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  એ અનુભવને આધારે અમે સામાન્ય ચૂંટણીમાં પણ એકલે હાથે લડીશું. અમે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ.

તેમણે કહ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશમાં એકલ હાથે ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. અમારી પાર્ટી ગઠબંધન એકલે હાથે ચૂંટણી લડવા માગીએ છીએ, કેમ કે અમે ગઠબંધન કરીએ તો અમારા મતો વહેંચાઈ જાય છે, પણ અમારી પાર્ટીને અન્ય મતો નથી મળતા. 90ના દાયકામાં ગઠબંધન થકી SP અને કોંગ્રેસને લાભ થયો હતો.

EVMમાં ગરબડીને મુદ્દે તેમણે કહ્યું હતું કે EVMમાં ઘણી ગરબડ થઈ રહી છે. એટલે BSPને નુકસાન થઈ રહ્યું છે. અમને અપેક્ષા છે કે EVM પર પ્રતિબંધ લાગશે.

આ પહેલાં કોંગ્રેસ પાર્ટી માયાવતીને પણ ભારત ગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. SP પ્રમુખ અખિલેશ યાદવે પણ માયાવતીને મહાગઠબંધનમાં સામેલ કરવા અંગે નિવેદન આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ માયાવતી સાથે વાતચીત કરી રહી છે. જોકે, અખિલેશ યાદવ ભારત ગઠબંધનમાં બસપાના પ્રવેશને લઈને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.

માયાવતીના જન્મદિવસને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે અને BSP ઓફિસની બહાર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. માયાવતી પોતાના જન્મદિવસના અવસર પર BSPની મોબાઈલ એપ પણ લોન્ચ કરે એવી શક્યતા છે.