LAC પર PMના નિવેદનનો ખોટો અર્થ કાઢવાના પ્રયાસઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત-ચીન સરહદે લઈને આપેલા નિવેદનને તોડીમરોડીનો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં જણાવવામાં આવ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાનના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતે ચીની આક્રમકતાને સામને આત્મસમર્પણ કરી દીધું છે.

વડા પ્રધાનનો ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર  

વડા પ્રધાને આ બેઠકમાં ચીની સૈનિકના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું હતું કે વડા પ્રધાનને આ વાતને લઈને આશ્વસ્ત હતા કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કોઈ પણ પ્રકારના હુમલાના પ્રયાસના જવાબ ભારતીય સૈનિક નિશ્ચિત રીતે આપશે. તેમણે આના પર વિશેષ ભાર આપ્યો હતો કે પહેલાં સામે આવેલા આ પ્રકારના પડકારોની તુલનામાં અત્યારે વધુ સારી રીતે ભારતીય સેના વળતો જવાબ આપે છે. સર્વપક્ષી બેઠકને એ જાણ કરવામાં આવે છે કે આ વખતે ચીની દળો પૂરી હિંમતથી સરહદની તરફ આગળ વધ્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.

20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષી બેઠકમાં ભારત-ચીન સરહદે તનાવપૂર્ણ સ્થિતિ અને બંને દેશોની સેના વચ્ચે હિંસક ટકરાવને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં તમામ પશ્રોના નેતાઓએ આ સંવેદનશીલ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.આ વર્ચ્યુઅલ બેઠકની શરૂઆતમાં ચીની સૈનિકોની સાથે હિંસક ટકરાવમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર સૈનિકોના સન્માનમાં શાંતિથી ઊભા રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ બેઠકમાં અનેક નેતાઓ હાજર

આ બેઠકમાં ભાજપરપ્રમુખ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, NCPના નેતા શરદ પવાર, TCR નેતા કે ચંદ્રશેખર રાવ, JDU નેતા નીતીશકુમાર, DMKના એમકે સ્ટાલિન, YSR કોંગ્રેસના YES જગન રેડ્ડી અને શિવસેનાના નેત ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય નેતાઓ હાજર હતા.