અમદાવાદ: મલખમ યોગાની પ્રેક્ટિસ…

અમદાવાદ: વિશ્વ યોગા દિવસ જાહેર થયા પછી જુન મહિનાની શરૂઆતથી જ તૈયારીઓ શરૂ થઇ જાય. ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટ પધ્ધતિ ધ્યાન યોગા પ્રાણાયામ સમગ્ર વિશ્વમાં ખૂબજ પ્રચલિત થયાં છે. આખુંય વિશ્વ 21, જૂન ના રોજ યોગા દિવસ ઉજવે છે.

અત્યારે આખા વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસથી હેરાન પરેશાન છે. સૌ કોરોના સામે લડવા માટે શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે એવા પ્રયત્નો કરે છે. વિટામિન યુક્ત ખોરાક અને કસરત, યોગ પ્રાણાયામ શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દર વર્ષે યોગા ડે ને સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ મોટા પાયે આયોજન કરી ઉજવે છે.

જો કે આ વર્ષે સરકારે જ સૌને ભીડ ભેગી કર્યા વગર યોગા ડે ઉજવવાનું કહ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ગુરુકુલમાં વિશિષ્ટ કળા એવા મલખમ યોગાની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)