કોરોનાના 27,071 નવા કેસો, 336નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 98 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 27,071 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 336 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 98,84,100 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,43,355 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 93,88,159 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,52,586એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ

માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ગઈ કાલે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ રોગચાળો આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ-19 રસી ને વિકસિત કરવા અને તેનો પુરવઠો પૂરો પાડવાના પ્રયાસમાં ભાગ લઇ રહી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.