મુંબઈઃ ફટાકડા વેપારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ

મુંબઈઃ શહેરમાં દીવાળી પહેલાં ફટાકડાની દુકાનો ગોઠવાઈ જતી હોય છે પરંતુ આ વર્ષે થાણેના ફટાકડાના વેપારીઓ માટે દીવાળી ફીકી સાબિત થઈ રહી છે. તો બીજીબાજુ નવી મુંબઈના વ્યાપારીઓને ફટાકડા વેચવાની મંજૂરી મનપા પાસેથી મળી ગઈ છે.

વેપારીઓને સ્ટોલ માટે ન મળી મંજૂરી

દીવાળીને લઈને ઠાણે મનપા ફાયર વિભાગ તરફથી ફટાકડાના વ્યાપારીઓને મંજૂરી ન મળતા વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. દીવાળીના અવસર પર દર વર્ષે ફટાકડાનું વેચાણ કરીને થોડા સમયમાં વધારે કમાણી કરનારા વેપારીઓને આ વખતે હતાશાનો સામનો કરવો પડ્યો છે.

મનપા તરફથી હજી સુધી સ્ટોલ માટેની મંજૂરી ન મળતા ફટાકડાના વેપારીઓના વ્યવસાય પર સંકટના વાદળો તોળાઈ રહ્યાં છે. આપને જણાવી દઈએ કે અહીં ત્રણસો જેટલા વેપારીઓ દર વર્ષે ફટાકડાના સ્ટોલ લગાવતા હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વર્ષે મનપા તરફથી વ્યાપારીઓને મંજૂરી આપવામાં આવી નથી. થાણે મનપા તરફથી આ પહેલા ફુટપાથ પર ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે ખુલ્લા મેદાનમાં ફટાકડાના સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવે છે. ગત વર્ષે 250 જેટલા સ્ટોલ લગાવવાની મંજૂરી મનપા દ્વારા આપવામાં આવી હતી.