રાજકોટઃ રાજકોટમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી નામાંકિત એટલાન્ટિક બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં હજી 60 જણને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ તથાં જ પોલીસ અને ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. આગ ઓલવાયા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.
ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું હતું કે અમે અત્યારે અહીં બચાવ કામગીરીમાં લાગ્યા છે. જે ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આગ કાબૂમાં છે. અંદર બાકીના કોઈ લોકો છે કે નહીં, તેની એક-એક ફ્લોર પર તપાસ કરીએ છે. લગભગ 60 જેટલા લોકોને ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી સલામત રીતે બહાર કાઢ્યા છે.
