માર્ક્સવાદી નેતા અનુરા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે

માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે રવિવારે શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. દેશના ચૂંટણી પંચે બીજા તબક્કાની મત ગણતરી બાદ અનુરા કુમારા દિસનાયકેને વિજેતા જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અનુરા કુમારા દિસનાયકે સોમવારે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ હશે.

 

માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા 56 વર્ષીય અનુરા કુમારા દીસાનાયકે, તેમના નજીકના હરીફ સામગી જન બાલાવેગયા (SJB)ના સાજીથ પ્રેમદાસાને હરાવીને આ જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરીનાં પ્રથમ રાઉન્ડમાં જ તે બહાર થઈ ગયો હતો.