કાલુપુર કો-ઓપરેટિવ બેંકે અંધજન મંડળને ટ્રાઈસિકલ દાનમાં આપી

અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ અમદાવાદ અંધજન મંડળને વિકલાંક વ્યક્તિઓ માટેની 100 ટ્રાઈસિકલનું દાન મળ્યુ છે. જે કાલુપુર કો-ઓપરેટિવ બેંકના ચેરમેન ડૉ. દિનેશભાઈ અમીન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનને આપવમાં આવ્યું છે. કાલુપુર કો-ઓપરેટિવ બેન્ક દ્વારા બ્લાઈન્ડ અને વિકલાંગ વ્યક્તિને મદદ કરવા માટેની આ નાનકડી પહેલ છે. આ પહેલાં પણ કાલુપુર કો-ઓપરેટિવ બેંક અલગ-અલગ રીતે બ્લાઈન્ડ પીપલ એસોસિએશનને મદદ કરતી આવી છે. આ પહેલાં તેમણે ટ્રાઈસિકલ, કૃત્રિમ અંગો, કેલિપર્સ તેમજ સિલાઈ મશીનો આપીને મદદ કરી છે. આમ તેમણે અત્યાર સુધીમાં કુલ 400 લોકોને મદદ કરી છે.