આ વર્ષના ‘નોબેલ શાંતિ પારિતોષિક’ માટે ઈરાનનાં નરગિસ મોહમ્મદીની પસંદગી

ઓસ્લો (નોર્વે): ઈરાનમાં મહિલાઓ પર કરવામાં આવતા અત્યાચાર સામે લડત ચલાવનાર અને તમામને માટે માનવ અધિકારો તથા સ્વતંત્રતા માટેનાં હિમાયતી નરગિસ મોહમ્મદીને આ વર્ષનું નોબેલ શાંતિ પારિતોષિક આપવામાં આવ્યું છે.

નોર્વેજિયન નોબેલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે. તેણે કહ્યું છે, ‘મહિલા-જીવન-સ્વતંત્રતાનો જે ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે તે નરગિસ મોહમ્મદએ દર્શાવેલી નિષ્ઠા અને કરેલાં કાર્યને ઉચિત રીતે પ્રદર્શિત કરે છે.’

આ વર્ષના નોબેલ શાંતિ ઈનામ માટે 350થી વધારે વ્યક્તિઓ અને જૂથો રેસમાં હતાં.