ભારતીય-અમેરિકી એટર્નીએ કોરોના સામે મેળવી જીત

વોશિંગ્ટનઃ કોરોના વાયરસની બિમારી બાદ સાજા થઈ ગયેલા પ્રખ્યાત ભારતીય-અમેરિકી એટર્ની રવિ બત્રા માને છે કે ચીને આ સંક્રામક વાયરસનું સંપૂર્ણ સત્ય દુનિયા સામે રાખવી જોઈએ. જેથી વૈજ્ઞાનિક અને ડોક્ટર નોવેલ કોરોના વાયરસનો ઈલાજ શોધી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ વૈશ્વિક મહામારીની વેક્સિન તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમામ લોકોને તેમના ઘરોમાં જ રાખવા જોઈએ.

ન્યૂયોર્કમાં એટર્ની રવિ બત્રાએ કહ્યું કે, આ અત્યંત ખતરનાક કોરોના વાયરસની ચુંગાલમાંથી માનવતા સુરક્ષિત રીતે બહાર નિકળી જાય. તેઓ ઈચ્છે છે કે ચીન હવે આ મહામારી સાથે જોડાયેલા સત્યને દુનિયા સમક્ષ રજૂ કરે. તેમણે કહ્યું કે, જલ્દીથી જલ્દી વેક્સિન તૈયાર કરવાની જરુર છે. જ્યાં સુધી વેક્સિન ન બની જાય ત્યાં સુધી કોઈપણ ઘરની બહાર ન જઈ શકે. અર્થવ્યવસ્થા રાષ્ટ્રીય, ક્ષેત્રિય અને વૈશ્વિક સ્તર પર ખતમ થઈ ગઈ છે. હવે આ પાછી નથી આવવાની.