રશિયા-યૂક્રેન યુદ્ધનો શાંતિપૂર્વક ઉકેલ લાવવા પીએમ મોદી પ્રયત્નશીલઃ પૂતિન

મોસ્કોઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર ગુરુવારે (ભારતીય સમય મુજબ 28 ડિસેમ્બરે) અહીં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પૂતિનને મળ્યા હતા. એ બેઠક દરમિયાન પૂતિને એમને કહ્યું હતું કે યૂક્રેન સાથે રશિયાના હાલ ચાલી રહેલા યુદ્ધ મામલે પોતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક વખત વાતચીત કરી છે. પૂતિને એમ પણ કહ્યું કે, ‘રશિયા-યૂક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ માર્ગે ઉકેલ લાવવા માટે પીએમ મોદી પ્રયાસો કરી રહ્યા છે એનાથી હું વાકેફ છું. આ યુદ્ધને લગતી પરિસ્થિતિ વિશે મેં એમને અનેકવાર માહિતગાર કર્યા છે.’

(તસવીર સૌજન્યઃ @DrSJaishankar)

બેઠક દરમિયાન જયશંકરે પૂતિનને કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી 2024માં રશિયાના પ્રવાસે આવવા ઈચ્છે છે. ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારનું ટર્નઓવર 50 અબજ ડોલર જેટલા આંકે પહોંચ્યું છે.