ટોલ ટેક્સ બાકી હશે તો કાર વેચી નહીં શકાય

નવી દિલ્હી: જો તમારી ગાડી પર ટોલ પ્લાઝાનો કોઈ બાકી ટેક્સ છે તો સાવધાન થઈ જાઓ. હવે કારમાલિકોને વાહન વેચતાં પહેલાં અથવા ફિટનેસ સર્ટિફિકેટ લેવા પહેલાં તમામ ટોલ પ્લાઝાની બાકી રકમ ચૂકવવી ફરજિયાત રહેશે. મોદી સરકારે બેરિયર-ફ્રી ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની દિશામાં આ પગલું લીધું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા કેન્દ્રીય મોટર વાહન નિયમો, 2026 જાહેર કરી દીધા છે. ટોલ પ્લાઝા પરની તમામ જૂની બાકી રકમ ચૂકવ્યા પછી જ વાહન વેચી શકાશે.

 ઓનલાઈન ટોલ કલેક્શન સુધારાશેઆ ફેરફારોનો ઉદ્દેશ એ છે કે વાહન માલિક તમામ પ્રકારની યુઝર ફી ચૂકવે. ઇલેક્ટ્રોનિક રીતે ટોલ ટેક્સ વસૂલવાની ક્ષમતા વધારવામાં આવશે અને નેશનલ હાઇવે પર ટોલ ચોરી ઘટાડવામાં આવશે. સરકાર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ લાગુ કર્યા પછી ટોલ કલેક્શન મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ નેશનલ હાઇવે નેટવર્ક પર કોઈ બેરિયર વિના ટોલ વસૂલાશે. જો ટોલ બાકી હશે તો વાહનનું ટ્રાન્સફર શક્ય નહીં બને. ફિટનેસ રિન્યુઅલ અને પરમિટ માટે એનઓસી પણ આપવામાં આવશે નહીં.

 બાકી રકમ પર કડક વલણ

નવા નિયમો હેઠળ “અનપેડ યુઝર”ની નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. એટલે કે નેશનલ હાઇવેના કોઈ ભાગના ઉપયોગ બદલ જે ફી ચૂકવવાની હોય તે. જો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા વાહનની અવરજવર નોંધાય, પરંતુ નેશનલ હાઇવે એક્ટ, 1956 મુજબ નક્કી કરેલી ફી વસૂલ ન થાય, તો તેને બાકી ગણવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ સુધારાઓથી NHAIને ઓટોમેટિક ટેક્નોલોજી આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પ્રોત્સાહન મળશે. એ સાથે જ દેશના નેશનલ હાઇવે નેટવર્કની મરામત અને જાળવણીમાં મદદ મળશે.

વાહન માલિકે બાકીનો ખુલાસો કરવો પડશેફોર્મ 28માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફોર્મમાં અરજદારે જણાવવું પડશે કે વાહન સામે કોઈ ટોલ પ્લાઝાની બાકી યુઝર ફી છે કે નહીં અને તેની સંપૂર્ણ વિગત આપવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે, નિયમોમાં નિર્ધારિત ઓનલાઈન પોર્ટલ મારફતે ફોર્મ 28ના ઘણા ભાગો ઓનલાઈન જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોર્મ 28 વાહન ટ્રાન્સફર માટે જરૂરી દસ્તાવેજ છે, જે આ બાબતની ખાતરી આપે છે કે વાહન પર કોઈ જૂનો ટેક્સ, ચલણ અથવા કાનૂની જવાબદારી બાકી નથી.