ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી હિંદુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભલે અલ્પસંખ્યકો માટે સારી વાતો કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. હવે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
એક ન્યૂઝ એજન્સીએ જારી કરાયેલા એક વિડિયોમાં તૂટેલા ઢાંચા પાસે એક મહિલા રડતી જોવા મળે છે. તે કહે છે: “હું નિઃશબ્દ છું… હું શું કહું? મારું શરીર સળગી રહ્યું છે અને હ્રદય ફાટી ગયું છે. અમારી પાસે પ્રાર્થના માટે કોઈ જગ્યા નથી. આ કેટલું મોટું દુઃખ છે. જો હજારો મસ્જિદો હોઈ શકે છે, તો પછી મંદિર કેમ ના હોઈ શકે?”
તે વધુમાં કહે છે, “હું સરકારને અપીલ કરું છું કે જો પાકું મંદિર નહીં તો ઓછામાં ઓછું એક તાત્કાલિક મંદિર તો બનાવી આપે, જેથી અમારી પાસે પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા હોય. દુર્ગા પૂજા નજીક આવી રહી છે. અમે કેવી રીતે પૂજા કરીશું? આ અમારી સરકારને વિનંતી છે. અમે તેમને પ્રાર્થનાની જગ્યા આપવા માટે કહી રહ્યા છે.
અન્ય સ્થાનિક વ્યક્તિ પ્રસન્નજીત ચંદ્ર દાસ કહે છે કે હું અહીં છેલ્લા આઠ મહિનાથી રહું છું. દરેક અઠવાડિયે અહીં કોઈક ને કોઈ ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે અને લોકો નિયમિત આવે છએ. અમારી આસપાસ હિંદુઓ માટે બીજું કોઈ પૂજા સ્થાન નથી. આ એકમાત્ર મંદિર હતું જ્યાં લોકો આવતા, પ્રસાદ લેતા અને પ્રાર્થના કરતા.
તેમણે કહ્યું હતું કે જો સરકાર ઇચ્છતી તો ઢાંચાને તોડતાં પહેલા મૂર્તિને હટાવી શકી હોત,ત પરંતુ જ્યારે મૂર્તિને સહિત સમગ્ર ઢાંચાને તોડી નાખવામાં આવ્યું, તે તમામે જોયું. એક સનાતની તરીકે અમને ખૂબ જ શરમ લાગે છે કે અમારી પૂજાની જગ્યા સાથે આવું થયું છે. અમે બધા જ દુઃખી છીએ. અમારી માગ છે કે સરકાર આ મંદિરને અન્ય સ્થાને ફરીથી બનાવી આપે, જેથી હિંદુઓ ત્યાં પ્રાર્થના કરી શકે. આ અમારી સરકારને વિનંતી છે.
