અગ્નિકાંડને લઈ ભાજપ સાદગીથી કરશે જીતની ઉજવણી?

રાજકોટમાં 25મી મેના રોજ ગોઝારા સાબિત થયો હતો. જે બાદ રાજકોટ સહિત રાજ્યની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજું લોકસભા ચૂટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. આ અગાઉ ભાજપ દ્વારા ઘણી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 1લી જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે અને જે બાદ અક્સીટ પોલની શરૂ થશે. પરંતુ આ પહેલા ગુજરાત ભાજપે જીતની ઉજવણી સાદગી સાથે કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો પરિપત્ર પણ પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને જ ભાજપ દ્વારા સાદગીથી જીતની ઉજવણીનો નિર્ણય લીધો છે.

અંતિમ તબક્કામાં 57 બેઠકો પર મતદાન થવાનું બાકી છે, આ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની બેઠકનો પણ સમાવેશ થાય છે. તમામ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂનના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. જોકે, આ જાહેરાત પહેલા ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 7 મુદ્દાઓને ટાકવામાં આવ્યા છે.

ભાજપના પરિપત્રમાં જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવાનો નિર્ણય લેવાયો છે.

આ 7 મુદ્દાને ધ્યાનમાં રાખવાનું સૂચન કાર્યકર્તાઓને કરાયું

  • મતગણતરીના સ્થળની બહાર, કાર્યાલય પર તેમજ અન્ય જાહેર સ્થળ પર ફટાકડા ફોડવા નહીં.
  • મીઠાઈ વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
  • ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં.
  • કાર્યકર્તાઓ ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે.
  • મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે-સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં.
  • કાર્યાલયમાં રોશની કે સુશોભન કરવું નહીં.
  • વિજય પછી સન્માન સમારંભના કાર્યકર્મો ટાળવા.