કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બનશે ગુજરાતના મહેમાન..

લોકસભા ચૂંટણીમાં NDA સરકારનો વિજય થયો. અને ફરીથી નરેન્દ્ર મોદીએ ફરીથી કેન્દ્રમાં સરકાર બનાવી છે. ત્યારે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ મુલાકાતે આવશે. મળતી માહિતી અનુસાર તારીખ 21 જુનના રોજ અમિત શાહ ગુજરાતના મહેમાન બનશે. બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેકટનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થશે. આ ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના મત વિસ્તારમાં કરશે. ગાંઘીનગરમાં પણ કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી.

વિશ્વ યોગ દિવસની કરશે ઉજવણી

ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે.રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર હતા. જ્યાં તેમણે કોંગ્રેસને રેકોર્ડ બ્રેક મતોથી હરાવ્યા.