મોટી દુર્ઘટનાના પીડિતો માટે યોજાશે કોંગ્રેસની ન્યાય યાત્રા..

વિપક્ષ નેતા રાહુલ ગાંધી થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યલયથી રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રના આયોજનની વાત કરવામાં આવી હતી. ત્યારે આજે આ ન્યાય યાત્રાના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના ઉદેશ્ય સાથે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે. આ ન્યાય યાત્રા બે તબક્કામાં યોજાવાની છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ન્યાય યાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થશે. આ ન્યાય યાત્રાનો રુટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ આ યાત્રા દરમિયાન મોરબી ઝૂલતા પુલ બ્રિજ ઘટના અને રાજકોટ ગેમઝોનના પીડિતો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રામાં દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવશે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.