યુનિવર્સિટીના વિકાસમાં યોગદાન બદલ સ્ટાફ એવોર્ડસથી સન્માનિત  

ચાંગા: શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ ત્રીજી ફેબ્રુઆરી, શનિવારે  ચારુસેટમાં ઊજવવામાં આવ્યો હતો. આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ સમારંભના મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભની શરૂઆતમાં ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલે  સ્વાગત પ્રવચન અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. યુનિવર્સિટીના IQAC કોર્ડિનેટર ડો. મયૂર સુતરિયાએ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ચારુસેટના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મેમ્બર્સને તેમણે યુનિવર્સિટીના વિકાસમાં આપેલા યોગદાન બદલ એનાયત થનાર  વિવિધ ચાર  કેટેગરીના એવોર્ડ્સ વિષે માહિતી આપી હતી. વર્ષ 2023માં વિશ્વનાં ટોપ બે ટકા સાયન્ટિસ્ટમાં સમાવેશ થયેલ છે એવા ચારૂસેટના પ્રોફેસર ડો. સી. કે સુમેશ, ડો. વી. પ્રકાશ, ડો. અર્પણ દેસાઈ અને ડો. પ્રતીક પાટણીયાને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચારૂસેટ કેમ્પસના 24મા સ્થાપના દિન નિમિત્તે  એવોર્ડ્સ યાદી

  • વિશ્વનાં ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થવા બદલ  ચારૂસેટના 4 પ્રોફેસરને ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’
  • પેટન્ટ પ્રાપ્ત કરનાર ચારૂસેટના 7 પ્રોફેસરને પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ’
  • 99 રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે 55 ફેકલ્ટી મેમ્બર્સને ‘રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ’
  • વિશ્વની શ્રેષ્ઠ જર્નલ્સમાં 270 રિસર્ચ પેપર પબ્લિશ કરનાર 333 ફેકલ્ટી મેમ્બર્સને ‘રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ’
  • 20 વર્ષથી કાર્યરત 44 સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ’

દ્વિતીય કેટેગરીમાં ‘પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ’ હેઠળ જેમની વર્ષ 2023 માં પેટન્ટ મંજૂર કરવામાં આવી છે તેવા ચારુસેટના ઇન્વેન્ટર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃતીય કેટેગરીમાં રિચર્સ પ્રોજેક્ટ હેઠળ ‘એક્સ્ટ્રામ્યુરલ સપોર્ટ ફ્રોમ ગવર્નમેન્ટ એન્ડ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન’ હેઠળ ફંડ પ્રાપ્ત કરનાર તેમ જ રિસર્ચ પેપર પબ્લિકેશન હેઠળ શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત  કરનાર અધ્યાપકો અને સંશોધકોને ‘રિસર્ચ અપ્રીશિએશન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચતુર્થ કેટેગરીમાં કેમ્પસમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘Know Your University’ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા  કૃતેન પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય અતિથિ ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે ભારત પાસે સશક્ત હ્યુમન રિસોર્સ છે જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંશોધન થકી જ કોઈ  યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે.

આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ  સુરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારુસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના જોઇન્ટ સેક્રેટરી  મધુબહેન પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી  વિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમ જ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ  ઉપસ્થિત રહ્યા હતા. ચારુસેટમાં વિવિધ અભ્યાસક્રમો હેઠળ 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.