શ્રીકાર વરસાદઃ કપરાડામાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ, 170 તાલુકામાં મેઘમહેર

સુરતઃ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી માંડીને ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૨૩ ઈંચથી વધુ વરસાદ અને કપરાડામાં 24 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં વરસ્યો છે તે પૈકી ૨૪ તાલુકામાં ચાર ઈંચથી ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૫૮૭ મી.મી., માંગરોળમાં ૪૫૧ મી.મી. એટલે કે ૧૪ ઈંચથી વધુ ડેડિયાપાડામાં ૩૧૮ મી.મી., વાલિયામાં ૨૦૩ મી.મી., સુરતના માંડવીમાં ૨૦૨ મી.મી., ક્વાંટમાં ૨૦૧ મી.મી., સુબિરમાં ૧૮૭ મી.મી., સોનગઢમાં ૧૮૫ મી.મી., ઉચ્છલમાં ૧૭૯ મી.મી., વાપીમાં ૧૫૧ મી.મી., નાંદોદમાં ૧૪૯ મી.મી., ડભોઈમાં ૧૪૭ મી.મી., નેત્રંગમાં ૧૪૩ મી.મી., વ્યારામાં ૧૩૫ મી.મી., અંકલેશ્વરમાં ૧૩૦ મી.મી., સાગબારામાં ૧૨૬ મી.મી., જાંબુઘોડામાં ૧૧૯ મી.મી., ધરમપુરમાં ૧૧૫ મી.મી., ઓલપાડમાં ૧૧૨ મી.મી., તીલકવાડા ૧૦૪ મી.મી., કામરેજમાં ૧૦૨ મી.મી. અને વઘઈમાં ૧૦૦ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે એ ઉપરાંત અન્ય ૧૪૬ તાલુકાઓમાં ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીના ૪ કલાકના સમયગાળામાં નવસારીના વાંસદા અને ડાંગના વઘઈ તાલુકામાં ૮ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના ૪૯ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાંસદામાં ૨૦૭ મી.મી. અને વઘઈમાં ૨૦૦ મી.મી. એટલે કે ૮ ઈંચ જેટલો વરસાદ ૪ કલાકમાં વરસ્યો છે. એ ઉપરાંત આહવામાં ૯૩ મી.મી., ડોલવણમાં ૪૩ મી.મી., સુબિરમાં ૩૬ મી.મી., ગણદેવીમાં ૩૪ મી.મી. અને ક્વાંટમાં ૨૯ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૫ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૧.૫૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૬ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૩.૮૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. 

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૮૪,૫૯૨, દમણગંગામાં ૧,૪૯,૧૭૧, ઉકાઇમાં ૧,૩૧,૦૬૩, સુખીમાં ૫૪,૯૭૪, કરજણમાં ૨૭,૯૮૧,  કડાણામાં ૭,૭૭૮, પાટાડુંગરીમાં ૬,૦૮૧, વેર- ૨માં ૫,૧૬૯, બલદેવામાં ૪,૯૧૯, પાનમમાં ૪,૦૭૭, ઉમરિયા ૪,૦૦૮, ઝૂઝમાં ૩,૫૧૮, પીગુટમાં ૨,૪૦૬, ડોસવાડામાં ૨,૧૦૮, કેલિયામાં ૨,૦૯૯, દેવમાં ૧,૯૭૬, ધોલીમાં ૧,૪૬૧, આજી-૩માં ૧,૧૯૪ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૭૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૦૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૮.૦૧ ટકા એટલે ૨,૧૧,૬૨૪.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે,