રાજ્યમાં ગરમી સાથે વધ્યું રોગચાળાનું જોર!

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો પારો ધીમે ધીમે ઉંચાઈકાઈ રહ્યો છે. ત્યારે વધતી ગરમી સાથે રાજ્યમાં રોગચાળે પણ માથું ઉંચક્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ત્યારે મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૂત્રોની માહિતી પ્રમાણે તાપમાનમાં એક કે બે ડિગ્રી વધી કે ધટી શકે પણ ગરમીનું જોર યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે ચિત્રલેખા.com સાથે વાત કરતા અમદાવાદ સવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી એ કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન વિભાગ તરફથી ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં રોગચાળો વધતો જોવા મળી રહ્યો છે. તેમને કહ્યું કે હાલ પાણીજન્ય રોગચાળો ફેલાય રહ્યો છે. જેમાં વાયર ફ્લૂ, ડયરા, વોમેટીગ, કમળો જેવા રોગના કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

heat wave

જ્યારે રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્ય સુધી બહાર નીકળવાનું ટાળવુ જોઈએ, ખાસ કરીને વૃધ્ધો, સગર્ભા મહિલા, બાળકોએ બહાર ન નિકળવું જોઈએ. જો ફરજિયાત પણે નિકળવુ પડે તો છાયામાં ચાલવાનું રાખવુ અથવા સફેદ સુતરાવ કપડા પહેરવા જોઈએ. આ સાથે માથા પર રૂમાલ, છત્રી, ટોપી જેવી ગરમીથી બચવતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે ખોરાકને લઈ તમને જણાવ્યું કે ગરમીના સમયમાં ડિહાઈડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસ દરમિયાન પાણી, છાશ, લીંબુ સરબત જેવી વસ્તુનું સેવન કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત હોટલનો ખોરાક લેતા પહેલા હોટલની સ્વચ્છતાને લઈ તકેદારી રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે અમદાવામાં પાછલા 17 દિવસમાં કમળાના લગભગ 104 કેસ નોંધવામાં આવ્યા છે. તો ઝાડા ઉલટીના 154 કેસ નોઁધવામાં આવ્યા છે. જ્યારે ગત માર્ચમાં કમળાના 184 કેસતો ઝાડા ઉલટીના 288 કેસ નોંધવામાં આવ્યા છે.