રેલવે ઓવરબ્રિજનો મુદ્દો કોંગ્રેસપ્રમુખ શક્તિસિંહે રાજ્યસભામાં ઉઠાવ્યો

અમદાવાદઃ બગોદરાથી ધંધૂકા તરફ જતા રસ્તા પર ધંધૂકા પાસે ચાલતા રેલવેના ઓવરબ્રિજનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને અત્યંત લાંબો સમય થઈ ગયો હોવા છતાં કામ પૂર્ણ નથી થયું, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. અહીં સતત ટ્રાફિક જેમની ઘટનાઓ બને છે.

આ મુદ્દાને રાજ્યના કોંગ્રેસપ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તેમની સાથે રાજ્યસભાના સભાપતિએ પણ ધંધૂકા પાસે ચાલતો રેલવેનો ઓવરબ્રિજનું ઝડપથી પૂર્ણ થાય એવો સૂર પુરાવ્યો હતો.

જોકે સરકાર તરફથી આ કામ પહેલા વિલંબમાં પડ્યું હતું, પરંતુ હવે એને ઝડપથી પૂરું કરવાની ખાતરી આપવામાં આવી હતી.