રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર

રાજ્યમાં ધોરણ 12 અને 10ના પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યમાં આગામી 27,28 અને 29 જૂન શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાશે સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે રાજ્યમાં 21 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ગત વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ પર શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

વિકાસને વેગવંતો બનાવવા માટે ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાળાપ્રવેશોત્સવએ સૌ પ્રથમ એવી ઘટના હતી કે જેમાં ઉચ્ચ અઘિરારીઓ ગામડામાં નાના ફુલાકાનું શાળામાં સ્વાગત કરાવે. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે જાળવી રાખી છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષ 2023 માં તા.12 થી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 20 મો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ અલગ અલગ રીતે બાળકોને ભણતર વિશે પ્રોત્સાહ પુરુ પાડવાનો પ્રયાસ કરતા હોય છે. જ્યાં નાના ગામડામાં લોકો શાળાને મહત્વ નથી આપતા, ત્યાં શાળા પ્રવેશોત્સવ શરૂ થવાથી લોકો બાળકોને શાળા મોકવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવથી રાજ્યમાં  શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે