કોરોનાની લહેરઃ પાંચ દિવસમાં 1700 કેસ, સાત દર્દીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં કોવિડના 1700 નવા કેસ સામે આવ્યા છે અને હવે કુલ સંખ્યા 2700ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ 30 મે સુધી દેશમાં કુલ 2710 કેસ નોંધાયા છે. તેની સામે, એક અઠવાડિયા પહેલાં માત્ર 752 કેસ હતા. કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

દેશના અલગ-અલગ રાજ્યોની વાત કરીએ તો આ રાજ્યઓમાં નીચે મુજબના કેસ નોંધાયા છે: આંધ્ર પ્રદેશ-16,અરુણાચલ પ્રદેશ- 3, આસામ- 2, ચંડીગઢ- 1, છત્તીસગઢ- 3,દિલ્હી- 294, (મહિલા દર્દીનું મોત), ગોવા- 7, ગુજરાત- 223, હરિયાણા- 20, જમ્મુ-કાશ્મીર- 4, કર્નાટક- 148, કેરળ- 1147, મધ્ય પ્રદેશ- 10, મહારાષ્ટ્ર- 424, મિઝોરમ- 2, ઓડિશા- 5, પુડુચેરી- 35, પંજાબ- 4, રાજસ્થાન- 51, તામિલનાડુ- 148, તેલંગાણા- 3, ઉત્તરાખંડ- 2, ઉત્તર પ્રદેશ- 42 અને પશ્ચિમ બંગાળ- 116.

કયાં રાજ્યોમાં કેસો વધી રહ્યા છે

ઘણાં રાજ્યોમાં સક્રિય કેસો વધ્યા છે, જેમ કે કેરળ (+355), મહારાષ્ટ્ર (+153) અને દિલ્હી (+24)  તેમ જ, કેટલાંક રાજ્યોમાં મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, જેમ કે મહારાષ્ટ્ર (+4) અને કર્નાટક (+1).

કયાં રાજ્યોમાં સૌથી વધુ મોત થયાં છે (પ્રથમ લહેરથી અત્યાર સુધી)

  • મહારાષ્ટ્ર: 1,48,606
  • તામિલનાડુ: 38,086
  • કર્નાટક: 40,412

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલ કહે છે કે હાલમાં કોવિડના વધતા કેસોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાંથી લેવામાં આવેલા નમૂનાઓના જિનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે કોવિડ-19 ના નવા પ્રકારો ગંભીર નથી. અને આ ઓમિક્રોન સબ વેરિઅન્ટ છે.