બજેટમાં પેન્શનમાં બદલાવ લાવવાની તૈયારીમાં સરકાર?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સતત સાતમી વાર બજેટ રજૂ કરવાના છે. NDA સરકારનું પહેલું પૂર્ણ બજેટ 23 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બજેટથી લોકોને ખાસ્સી અપેક્ષા છે અને એમાં એક નેશનલ પેમેન્ટ સ્કીમ એટલે કે NPS હેઠળ મળનારી વધારાની ટેક્સ છૂટનો વ્યાપ વધારવાની અપેક્ષા સામેલ છે. સરકારે FY2015-16માં NPSમાં રૂ. 50,000 સુધીના વધારાના ટેક્સ ડિડક્શનની મંજૂરી આપી હતી. નાણાપ્રધાન આ લિમિટ વધારવાની જાહેરાત કરે એવી શક્યતા છે.

બજેટમાં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતાવાળા પેન્શન સુધારા પર પેનલના મુસદ્દાનો રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ રિપોર્ટ નાણાં મંત્રાની પાસે છે અને એમાં જૂની અને નવી પેન્શન યોજનાઓની વચ્ચે વિવાદ ઉકેલવા માટે ભલામણો સામેલ હોવાની સંભાવના છે.

સરકારી કર્મચારીઓના સંબંધમાં નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શનના મુદ્દાને જોતાં અને અન્ય વાતોની સાથે-સાથે એ તપાસ કરવા માટે નાણાં સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે કે શું NPSમાં ફેરફાર કરવો જોઈએ?

રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારોએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પર પરત ફરવાના નિર્ણય વિશે કેન્દ્ર સરરકાર –PFRDAને સૂચિત કરી દીધી છે. જોકે પંજાબ સરકાર કેન્દ્ર સરકારને એ સૂચિત કરી છે કે એ NPSમાં કર્મચારીઓ અને સરકારી યોગદાનની ચુકવણી કરવાનું જારી રાખશે.

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારીની અસરને જોઈએ તો સેક્શન 80Cની લિમિટ વધારવાની જરૂર છે. સરકારે સેક્શન 80 ની લિમિટ રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવી જોઈએ.