આદિત્ય બિરલા સન લાઇફના ચોખ્ખા નફામાં 28 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)એ જૂન ત્રિમાસિક ગાળાનાં અનઓડિટેડ પરિણામો જાહેર કર્યા હતાં, કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો વાર્ષિક ધોરણે 28 ટકા વધીને રૂ. 2.4 અબજ કર્યો હતો. કંપનીનો આ નફો કોઈ પણ ત્રિમાસિક ગાળા કરતાં સૌથી વધુ હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 4.8 અબજ નોંધાઈ હતી. કંપનીનો કરવેરા પહેલાંનો નફો વાર્ષિક ધોરણે 27 ટકા વધીને રૂ. ત્રણ અબજ થયો હતો.

કંપનીની ઓવરઓલ વૈકલ્પિક એસેટ સહિત QAAUM જૂન ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 3676 અબજ થઈ છે, જ્યારે ABSLAMC મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 3525 અબજ થઈ છે. જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે 37 ટકા વધીને રૂ. 1621 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મિક્સની QAUAUM પાછલા નાણાકીય વર્ષ 24ના 40 ટકા વધીને 46 ટકા થઈ છે. જૂન ત્રિમાસિક ગાળાના અંતે ઇન્ડિવિડ્યુઅલ મન્થલી AAUM 24 ટકા વધીને રૂ. 1857 અબજ થઈ છે, જ્યારે  ઇન્ડિવિડ્યુઅલ મિક્સની મ્યુચ્યુઅલ ફંડની AUM 51 ટકા વધી છે.   

જૂન ત્રિસમાસિક ગાળામાં કંપનીની B-30 મન્થલી AAUM વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 642 અબજ થઈ છે, જ્યારે B-30 મિક્સની મ્યુચ્યુઅલ ફંડની AUM 17.7 ટકાનો વધારો થયો છે. જૂન ત્રિમાસિકની પેસિવ AUM રૂ. 299 અબજના સ્તરે છે.

જૂન ત્રિમાસિક ગાળામાં ABSLAMC પાસે 94 લાખ ફોલિયોને સેવા આપી હતી. જૂન ત્રિમાસિક ગાળામાં કંપની પાસે મન્થલી સિસ્ટેમેટિક ફ્લો (STP સહિત)નો ગ્રોથ 40.5 લાખ એકાઉન્ટ્સ સાથે વાર્ષિક ધોરણે 39 ટકા વધીને રૂ. 13.67 અબજ હતો.  જૂન ત્રિમાસિક ગાળાના અંતે કંપની પાસે આશરે 8,38700 નવા SIPs ( STP) નોંધાયા હતા, જેમાં વાર્ષિક ધોરણે 310 ટકાનો વધારો થયો હતો.