ગુજરાતનાં રાજ્યપાલની તબિયત નાદુરસ્ત, રાજકોટના કાર્યક્રમ રદ

રાજકોટ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત એકાએક નાદુરસ્ત થઈ જતાં તેમની રાજકોટ મુલાકાત સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યપાલ 4 માર્ચના રોજ રાજકોટની મુલાકાતે જવાના હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 પદવીદાન સમારોહમાં હાજરી આપવાના હતા.આ ઉપરાંત ગિરગંગા ટ્રસ્ટ દ્વારા નિર્મિત જળસંચયના એક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. આ બંને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. ત્યાં જ રાજભવનથી સૂચના મળી કે રાજપાલ તેમની નાદુરસ્ત તબિયતને કારણે આવી શકશે નહી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પદવીદાન સમારંભ  4 માર્ચે યોજાશે. પરંતુ રાજ્યપાલ ઉપસ્થિત નહીં રહે તેવી જાહેરાત કરી છે. જ્યારે ગીર ગંગા ટ્રસ્ટે તેમના તમામ ક્રાયક્રમો જ રદ કર્યા છે. હવે ફરી રાજ્યપાલ સમય આપશે ત્યારે ફરી યોજશે તેવું પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )