Asia Cup પર કોરોનાનું સંકટ ! શું ટુર્નામેન્ટ રદ થશે? 4 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા

એશિયા કપ 2023 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ દરમિયાન શ્રીલંકન ટીમના 4 ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ઉપરાંત આગામી ટુર્નામેન્ટની મેચો શ્રીલંકામાં પણ રમાશે. જેમાં 30 ઓગસ્ટે મુલતાનના મેદાન પર પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ તેની પ્રથમ મેચ 31 ઓગસ્ટે પલ્લેકેલેના મેદાન પર બાંગ્લાદેશ સામે રમશે. શ્રીલંકાની ટીમ હાલ ટૂર્નામેન્ટની તૈયારીઓમાં લાગેલી છે. દરમિયાન, રિપોર્ટ અનુસાર, ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરા અને વાનિંદુ હસરંગા સહિત શ્રીલંકન ટીમના 4 ખેલાડીઓના કોરોના રિપોર્ટ સંક્રમિત મળ્યા છે. આવી સ્થિતિમાં હવે આ ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટ શરૂ થવાના 5 દિવસ પહેલા રમવું મુશ્કેલ બની ગયું છે.

coronavirus.

 

આગામી ટુર્નામેન્ટ માટે શ્રીલંકાની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં પસંદગીકારો માટે ટીમની પસંદગી કરવી સરળ નથી. લંકા પ્રીમિયર લીગ સિઝનના ફાસ્ટ બોલર દુષ્મંત ચમીરા ખભાની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના જોખમમાં છે.

વાનિન્દુ હસરંગાના પ્રથમ 2 મેચમાં રમવામાં શંકાસ્પદ

ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા આ વખતે એશિયા કપમાં ગ્રુપ-બીમાં છે, જેમાં તેણે બાંગ્લાદેશ સિવાય અફઘાનિસ્તાન સામે રમવાનું છે. આ જીત્યા બાદ જ ટીમ સુપર-4 સ્ટેજમાં જગ્યા બનાવી શકશે. શ્રીલંકન ટીમનો સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગા પણ લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તે પ્રથમ બે મેચમાં નહીં રમે તે લગભગ નિશ્ચિત છે. શ્રીલંકાની ટીમ તેની પ્રથમ મેચ પલ્લેકેલેમાં રમશે જ્યારે બીજી મેચ 5 સપ્ટેમ્બરે લાહોરના મેદાનમાં રમાશે.